Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 180
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૫ ગુરુદેવશ્રીનાં વચનામૃત રસ્તે અસત્ય આવે. અજ્ઞાની ગમે ત્યાં જાય કે ગમે ત્યાં ઊભો હોય પણ “હું જાણું છું', “સમજું છું', “આના કરતાં હું વધારે છું', આના કરતાં મને વધારે આવડે છે” વગેરે ભાવ તેને આવ્યા વગર રહેતા નથી. અજ્ઞાનીમાં સાક્ષીપણે રહેવાની તાકાત નથી. જ્ઞાનીને ગમે તે ભાવમાં, ગમે તે પ્રસંગમાં સાક્ષીપણે રહેવાની તાકાત છે; બધા ભાવોની વચ્ચે પોતે સાક્ષીપણે રહી શકે છે. અજ્ઞાનીને જ્યાં હોય ત્યાં “હું” અને “મારું કર્યું થાય છે” એવો ભાવ આવ્યા વગર રહેતો નથી. જ્ઞાની બધેથી ઊઠી ગયો છે અને અજ્ઞાની બધે ચોટયો છે. ૨૮૫. આત્માનું પ્રયોજન સુખ છે. દરેક જીવ સુખ ઇચ્છે છે ને સુખને જ માટે ઝાવી નાખે છે. હે જીવ! તારા આત્મામાં સુખ નામની શક્તિ હોવાથી આત્મા જ સ્વયં સુખરૂપ થાય છે. આત્માનું સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ને સમ્યક્રચારિત્ર-એ ત્રણે સુખરૂપ છે. આત્માનો ધર્મ સુખરૂપ છે, દુઃખરૂપ નથી. હે જીવ! તારી સુખશક્તિમાંથી જ તને સુખ મળશે, બીજે કયાંયથી તને સુખ નહિ મળે; કેમ કે તું જ્યાં છો ત્યાં જ તારું સુખ છે. તારી સુખશક્તિ એવી Please inform us of any errors on rajesh@ Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205