Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૬૬] ૫. ગુરુદેવનો ઉપકાર
(મંદાક્રાન્તા) જ્યાં જોઉં ત્યાં નજર પડતા રાગ ને દ્વેષ હા! હા! જ્યાં જોઉં ત્યાં શ્રવણ પડતી પુણ્ય ને પાપગાથા; જિજ્ઞાસુને શરણસ્થળ કયાં? તત્ત્વની વાત કયાં છે? પૂછે કોને પથ પથિક જ્યાં આંધળા સર્વ પાસે?
(શાર્દૂલવિક્રીડિત). એવા એ કળિકાળમાં જગતનાં કંઈ પુણ્ય બાકી હતાં, જિજ્ઞાસુ હૃદયો હતાં તલસતાં સદ્દસ્તુને ભેટવા એવા કંઈક પ્રભાવથી, ગગનથી ઓ કહાન! તું ઊતરે, અંધારે ડૂબતા અખંડ સતને તું પાણવંતું કરે. જેનો જન્મ થતાં સહુ જગતનાં પાખંડ પાછાં પડે, જેનો જન્મ થતાં મુમુક્ષુહૃદયો ઉલ્લાસથી વિકસે; જેના જ્ઞાનકટાક્ષથી ઉદય ને ચૈતન્ય જુદાં પડે, ઇન્દ્રો એ જિનસુતના જનમને આનંદથી ઊજવે.
(અનુષ્ટ્રપ) ડૂબેલું સત્ય અંધારે, આવતું તરી આખરે ફરી એ વીરવાકયોમાં પ્રાણ ને ચેતના વહે.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205