Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૭૩] ભારતમાં ધર્મધ્વજ લહેરાવ્યા રે, પગલે પગલે તુજ આનંદ વરસ્યા રે...ભારતખંડમાં. ૫. સીમંધરસભાના રાજપુત્ર વિદેહે: સતધર્મ-પ્રવર્તક સંત ભરતે. પરમ–પ્રતાપવંતા ગુરુજી પધાર્યા રે, (ભવભવના પ્રતાપશાળી ગુરુજી પધાર્યા રે,) ચૈતન્યધર્મના આંબા અહો! રોપ્યા રે, નગર-નગરમાં ફાલ રૂડા ફાલ્યા રે....ભારતખંડમાં ૬. નગરે નગરે જિનમંદિર સ્થપાયાં; ગુરુજી–પ્રતાપે કલ્યાણક ઉજવાયાં. અનુપમ વાણીનાં અમૃત વરસ્યાં રે, ભવ્ય જીવોનાં અંતર ઉજાળ્યાં રે. (સત્ય ધરમના પંથ પ્રકાશ્યા રે.).ભારતખંડમાં ૭. નભમંડળમાંથી પુષ્પોની વર્ષા આકાશે ગંધર્વો ગુરુગુણ ગાતા. અનુપમ (અગણિત) ગુણવંતા ગુજી અમારા રે. સાતિશય શ્રતધારી, તારણહારા રે, ચૈતન્ય-ચિંતામણિ ચિંતિત-દાતારા રે....ભારતખંડમાં ૮. સૂરો મધુરા ગુરુવાણીના ગાજે; સુવર્ણપુરે નિત્ય ચિદ-રસ વરસે. જ્ઞાયકદેવનો પંથ પ્રકાશે રે, શાસ્ત્રોનાં ઊંડાં રહસ્યો ઉકેલે રે ભારતખંડમાં ૯.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205