________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮
ગુરુદેવશ્રીનાં વચનામૃત
સ્વાનુભૂતિ થતાં જીવને કેવો સાક્ષાત્કાર થાય? સ્વાનુભૂતિ થતાં, અનાકુળ-આહલાદમય, એક, આખાય વિશ્વની ઉપર તરતો વિજ્ઞાનઘન પરમપદાર્થ –પરમાત્મા અનુભવમાં આવે છે. આવા અનુભવ વિના આત્મા સમ્યકપણે દેખાતો-શ્રદ્ધાતો જ નથી, તેથી સ્વાનુભૂતિ વિના સમ્યગ્દર્શનની-ધર્મની શરૂઆત જ થતી નથી.
આવી સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવા જીવે શું કરવું? સ્વાનુભૂતિની પ્રાપ્તિ માટે જ્ઞાનસ્વભાવી આત્માનો ગમે તેમ કરીને પણ દઢ નિર્ણય કરવો. જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય દઢ કરવામાં સહાયભૂત તત્ત્વ-જ્ઞાનનોદ્રવ્યોનું સ્વયંસિદ્ધ સત્પણું ને સ્વતંત્રતા, દ્રવ્ય-ગુણ-પર્યાય, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, નવ તત્ત્વનું સાચું સ્વરૂપ, જીવ અને શરીરની તદ્દન ભિન્નભિન્ન ક્રિયાઓ, પુણ્ય અને ધર્મના લક્ષણભેદ, નિશ્ચય-વ્યવહાર ઇત્યાદિ અનેક વિષયોના સાચા બોધનો-અભ્યાસ કરવો. તીર્થકર ભગવંતોએ કહેલાં આવાં અનેક પ્રયોજનભૂત સત્યોના અભ્યાસની સાથે સાથે સર્વ તત્ત્વજ્ઞાનનો શિરમોર-મુગટમણિ જે શુદ્ધદ્રવ્યસામાન્ય અર્થાત્ પરમ પારિણામિકભાવ એટલે કે જ્ઞાયકસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યસામાન્ય-જે સ્વાનુભૂતિનો આધાર છે, સમ્યગ્દર્શનનો આશ્રય છે, મોક્ષમાર્ગનું આલંબન છે,
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com