________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
તીખાશની-પૂર્ણ તીખાશની શક્તિ સદા ભરપૂર છે. એ દષ્ટાન્તે આત્મા પણ દે શ૨ી૨પ્રમાણ અને ભાવે અલ્પ હોવા છતાં તેનામાં પિરપૂર્ણ સર્વજ્ઞસ્વભાવ, આનંદસ્વભાવ ભરેલો છે. લીંડીપીપરને ચોસઠ પહોર ઘૂંટવાથી તેની પર્યાયમાં જેમ પૂર્ણ તીખાશ પ્રગટ થાય છે, તેમ રુચિને અંતર્મુખ વાળીને સ્વરૂપનું ઘૂંટણ કરતાં કરતાં આત્માની પર્યાયમાં પૂર્ણ સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. ૨૮૦.
૧૫૨
*
પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે. હું પણ એક સ્વતંત્ર પદાર્થ છું, મને કર્મ રોકી શકે નહિ.
પ્રશ્ન:- મહારાજ! બે જીવોને ૧૪૮ કર્મપ્રકારો સંબંધી સર્વ ભેદપ્રભેદોનાં પ્રકૃતિ-પ્રદેશ-સ્થિતિ-અનુભાગ બધુંય બરાબર એક સરખું હોય તો તે જીવો ઉત્તરવર્તી ક્ષણે સરખા ભાવ કરે કે ભિન્નભિન્ન પ્રકારના ?
ઉત્ત૨:- ભિન્નભિન્ન પ્રકારના.
પ્રશ્ન:- બન્ને જીવોની શક્તિ તો પૂરી છે અને આવરણ બરાબર સરખાં છે, તો પછી ભાવ ભિન્નભિન્ન પ્રકારના કેમ કરી શકે?
ઉત્ત૨:- ‘અકારણ પારિણામિક દ્રવ્ય છે'; અર્થાત્ જીવ જેનું કોઈ કારણ નથી એવા ભાવે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com