________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
વીતરાગસ્વરૂપ છું, અનંત ગુણોનો અભેદ પિંડ છું' એવી અભેદ ષ્ટિના જોરે (સ્થિરતા વધતાં ) સંયમાદિ વીતરાગી પર્યાય પ્રગટે છે. ‘ અસંયમનો ત્યાગ કરું તો સંયમ પ્રગટે' એવા વિકલ્પથી સંયમ પ્રગટે નહિ પણ મારો સ્વભાવ જ કાયમ સમસ્વરૂપ છે, વીતરાગસ્વરૂપ છે–એમ તેના ઉપર દૃષ્ટિ મૂકવાથી (સ્થિરતા થતાં) સંયમ પ્રગટે છે. ગુણ–ગુણીનો ભેદ પણ વસ્તુદષ્ટિનો વિષય નથી. વાસ્તવિક રીતે તો અનંત ગુણોના અભેદ પિંડરૂપ જે નિજ વસ્તુ તે જ દ્દષ્ટિનો વિષય છે. ૨૪૮.
૧૩૪
*
ચંદ્ર તો પોતે સોળ કળાએ પૂર્ણ છે, તેને નિત્યરાહુ આડો હોય છે; રાહુ જેમ ખસતો જાય તેમ ચંદ્રની એક એક કળા ઊઘડતી જાય છે. ચંદ્રમાં બીજ, ત્રીજ, ચોથ વગેરે કળાના ભેદ પોતાથી નથી પણ રાહુના નિમિત્તની અપેક્ષાથી છે. એ રીતે જ્ઞાનસ્વરૂપ આત્મા ચંદ્ર સમાન આખો પરિપૂર્ણ છે, તેમાં પાંચમા, છઠ્ઠા, સાતમા ગુણસ્થાનના ભેદની જે કળાઓ છે તે અખંડ આત્માની અપેક્ષાએ નથી, પણ નિમિત્ત એવો જે કર્મરૂપ રાહુ તેની અપેક્ષાએ છે. પુરુષાર્થ વડે તે ખસતો જાય છે તેથી સંયમની કળાના ભેદ પડે છે, પણ અભેદ આત્માની અપેક્ષાએ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com