________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪
ગુરુદેવશ્રીનાં વચનામૃત હોય ને જેમ ઊંઘ ન આવે, તેમ જ્યાં સુધી તત્ત્વનિર્ણય ન કરે ત્યાં સુધી આત્માર્થીને સુખેથી ઊંઘ ન આવે. ૨૦૫.
અંતરમાં ચૈતન્યના અતીન્દ્રિય આનંદને ચૂકીને બાહ્ય ઇન્દ્રિયવિષયોમાં મૂર્છાઈ ગયેલા બહિરાત્માઓ નિરંતર દુઃખી છે, અને મારું સુખ મારા આત્મામાં જ છે, બાહ્ય ઇન્દ્રિયવિષયોમાં મારું સુખ નથી” એવી દઢ પ્રતીતિ કરી અંતર્મુખ થઈને જે આત્માના અતીન્દ્રિય સુખનો સ્વાદ લે છે તે ધર્માત્મા નિરંતર સુખી છે. નિજ ચૈતન્યવિષયને ચૂકીને બાહ્ય વિષયોમાં સુખદુ:ખની બુદ્ધિથી અજ્ઞાની જીવો દિનરાત બળી રહ્યા છે. અરે જીવો ! પરમ આનંદથી ભરેલા તમારા આત્માને સંભાળો ને આત્માના શાંતરસમાં મગ્ન થાઓ. ૨૦૬.
કોઈ જીવ નગ્ન દિગંબર મુનિ થઈ ગયો હોય, લૂગડાનો એક તાણાવાણો પણ ન હોય, પરંતુ પરવસ્તુ મને લાભ કરે છે એવો અભિપ્રાય છે, ત્યાં સુધી તેના અભિપ્રાયમાંથી ત્રણ કાળની એક પણ વસ્તુ છૂટી નથી. પર સાથે એકત્વબુદ્ધિ ઊભી છે, પરવસ્તુ મને લાભ કરે છે એવો અભિપ્રાય ઊભો છે,
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com