________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮
ગુરુદેવશ્રીનાં વચનામૃત
આત્મા પોતે જ પરિણમે છે, સાધનપણે પણ પોતે જ પરિણમે છે. કર્તા, કર્મ, કરણ વગેરે છે કારકો ભિન્નભિન્ન નથી પણ અભેદ છે. આત્મા પોતે એકલો જ કર્તા-કર્મકરણ-સંપ્રદાન-અપાદાન-અધિકરણરૂપ થાય છે; છે કારકરૂપ અને એવી અનંત શક્તિઓરૂપ આત્મા પોતે જ પરિણમે છે. એ રીતે એકસાથે અનંત શક્તિઓ જ્ઞાનમૂર્તિ આત્મામાં ઊછળી રહી છે, તેથી તે ભગવાન અનેકાન્તમૂર્તિ છે. ૨૧૩.
અહા! મુનિદશા કેવી હોય તેનો વિચાર તો કરો! છઠ્ઠ-સાતમે ગુણસ્થાને ઝૂલતા એ મુનિઓ સ્વરૂપમાં ગુપ્ત થઈ ગયા હોય છે. પ્રચુર સ્વસવેદન એ જ મુનિનું ભાવલિંગ છે, અને દેહનું નગ્નપણું-વસ્ત્રપાત્ર રહિત નિગ્રંથ દશા–તે તેમનું દ્રવ્યલિંગ છે. તેમને અપવાદ-વ્રતાદિનો શુભ રાગ આવે, પણ વસ્ત્રગ્રહણનો કે અધઃકર્મ તેમ જ ઉશિક આહાર લેવાનો ભાવ હોય નહિ. અહા! શ્રી ઋષભદેવ ભગવાનને મુનિદશામાં પ્રથમ છ મહિનાના ઉપવાસ હતા, પછી આહારનો વિકલ્પ ઊઠતો હતો, પણ મુનિની વિધિપૂર્વક આહાર મળતો નહોતો; તેથી વિકલ્પ તોડીને અંદર આનંદમાં રહેતા હતા. આનંદમાં રહેવું એ જ આત્માનું કર્તવ્ય છે. ૨૧૪.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com