________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨
ગુરુદેવશ્રીનાં વચનામૃત
પણ મિથ્યાત્વાદિનું અકર્તાપણું થઈ જાય છે. મિથ્યાત્વભાવ થાય છે ને તેનો અકર્તા છે એમ નહિ, પરંતુ મિથ્યાત્વભાવ તેને થતો જ નથી; અને અસ્થિરતાનો જે અલ્પ રાગ રહે છે તેનો શ્રદ્ધામાં સ્વીકાર નથી. માટે તેનો પણ અકર્તા છે. ૨OO.
સમ્યગ્દષ્ટિ ધર્માત્માની દષ્ટિ અંતરના જ્ઞાનાનંદસ્વભાવ ઉપર છે, ક્ષણિક રાગાદિ ઉપર નહિ. તેની દષ્ટિમાં રાગાદિનો અભાવ હોવાથી તેને (દષ્ટિઅપેક્ષાએ) સંસાર કયાં રહ્યો? રાગ રહિત જ્ઞાનાનંદસ્વભાવ ઉપર દષ્ટિ હોવાથી તે મુક્ત જ છે, તેની દષ્ટિમાં મુક્તિ જ છે; મુક્તસ્વભાવ ઉપરની દષ્ટિમાં બંધનનો અભાવ છે. સ્વભાવ ઉપરની દષ્ટિ બંધભાવને પોતામાં સ્વીકારતી નથી, માટે સ્વભાવ-દષ્ટિવંત સમકિતી મુક્ત જ છે. “શુદ્ધસ્વમાનિયત: સ દિ મુp gવ' –શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો જ્ઞાની ખરેખર મુક્ત જ છે. ૨૦૧.
રાગાદિ વિકાર થાય છે તે પોતામાં થાય કે પરમાં? પોતામાં જ થાય. ચૈતન્યની પર્યાયમાં વિકાર કાંઈ પરવસ્તુ કરાવી દેતી નથી. વિકાર થવામાં નિમિત્ત બીજી ચીજ છે ખરી, પણ તે કાંઈ વિકાર
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com