________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬
ગુરુદેવશ્રીનાં વચનામૃત
પણ માટીનો છે; તેમ વ્રતાદિને ધર્મ કહેતાં વ્રતાદિના શુભ રાગપરિણામ ધર્મ નથી પણ આસવ છે, કહેવામાત્ર ધર્મ' છે. -આમ જાણવું તેને “ગ્રહણ કરવું” કહ્યું છે. જ્યાં વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન હોય ત્યાં એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે” –એમ જાણવું. બન્ને નયોનાં વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ભ્રમરૂપ ન પ્રવર્તવું. ૫૦ ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં કહ્યું છે ને!
પ્રશ્ન:- જે એમ છે, તો જિનમાર્ગમાં બન્ને નયોને ગ્રહણ કરવાનું કહ્યું છે-એ કેવી રીતે?
ઉત્તર:- જિનમાર્ગમાં કયાંક તો નિશ્ચયનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને તો “સત્યાર્થ આમ જ છે” એમ જાણવું; તથા કયાંક વ્યવહારનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને “આમ છે નહિ, નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે એમ જાણવું. આ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે. પરંતુ બન્ને નયોનાં વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આમ પણ છે અને આમ પણ છે” એમ ભ્રમરૂપ પ્રવર્તવા વડ તો બન્ને નયોને ગ્રહણ કરવાનું કહ્યું નથી.” ૧૫ર.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com