________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
ગુરુદેવશ્રીનાં વચનામૃત દિગંબર મુનિરાજ એટલે પંચ પરમેષ્ઠીમાં ભળેલા ભગવાન. અહા! શ્રી કુંદકુંદાચાર્યભગવાને કહ્યું છે ને!અરિહંતભગવંતથી માંડીને અમારા ગુરુપર્યત બધા વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા, રાગ ને નિમિત્તમાં તો નહોતા પણ ભેદમાંય નહોતા; એ બધા વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. ૧૪૮.
*
કોઈએ કોઈને ત્રણ કાળમાં છેતર્યો નથી, કપટના ભાવ કરી જીવ પોતે જ પોતાને છેતરે છે. કોઈ એમ માને કે મેં ફલાણાને કેવો છેતર્યો?' પણ ભાઈ ! તેમાં તે છેતરાણો નથી, પણ તું જ છેતરાણો છો. સામાનાં પુણ્ય એટલાં ઓછાં કે તારા જેવો કપટી એને મળ્યો, પરંતુ કપટના, દગાપ્રપંચના ભાવ કરીને તેને પોતાને જ તે છેતર્યો છે, બાકી ત્રણ કાળમાં કોઈ કોઈને છેતરી શકતું નથી. ૧૪૯.
વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં થાય છે તે વાત સ્વભાવદષ્ટિએ ગૌણ છે. સ્વભાવદષ્ટિએ તો જેટલા પરવલણવાળા ભાવ થાય તે બધા પૌગલિક છે. પર્યાયદષ્ટિએ તે વિકારી પર્યાય આત્માની છે પણ સ્વભાવદષ્ટિએ તે આત્માનો સ્વભાવ નથી માટે પૌગલિક છે. ૧૫૦.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com