________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
આત્મવસ્તુ તરફ દષ્ટિ કરતાં જ આત્મપ્રાપ્તિ થાય છે.
૧૬૦.
૯૦
*
જીવ જે વખતે રાગ-દ્વેષના ભાવ કરે તે વખતે જ તેને તેના ફળનું-આકુળતાનું–વેદન હોય છે. માટે કર્તાપણું અને ભોક્તાપણું બન્ને એકસાથે જ છે. લોકો બાહ્ય દૃષ્ટિથી જુએ છે કે આણે પાપ કર્યાં તો તે નરકમાં કયારે જશે ? આ જૂઠું બોલે છે તો એની જીભ કેમ તરત કપાતી નથી ? પણ ભાઈ ! જે વખતે તે હિંસા અને જૂઠા વગેરેના ભાવ કરે છે તે વખતે જ તેના ભાવમાં આકુળતાનું વદન હોય છે; આકુળતાનું વેદન છે તે અવગુણનું જ વેદન છે. પોતાના સુખાદિ સ્વભાવનો ઘાત કર્યો તેથી તે વખતે જ તેના ભાવમાં ફળ મળી ગયું; તે વખતે જ ગુણની શક્તિનું પરિણમન જે ઘટી ગયું તે જ તેને ઊંધું ફળ મળી ગયું; જે અંતરમાં ફળ આવે છે તે જોતો નથી અને બહારથી ફળ આવે છે તેને જ જુએ છે તે પરાશ્રયદષ્ટિવાળો છે. બહારથી ફળ મળવું તે વ્યવહાર છે. બહારથી ફળ કોઈ વાર લાંબા કાળે અને કોઈ વાર ટૂંકા કાળે મળે છે, પણ અંતરનું ફળ તો તરત જ-તે ક્ષણે જ મળી જાય છે. ૧૬૧.
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com