________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત નિગોદમાં જતાં વચ્ચે અમુક ભવ થાય તેની ગણતરી નથી, કારણ કે ત્રસનો કાળ થોડો છે ને નિગોદનો કાળ અનંત છે. તત્ત્વના અનાદરનું ફળ નિગોદગતિ અને આદરનું ફળ સિદ્ધગતિ છે. ૧૩ર.
પરલક્ષ વિના શુભાશુભ રાગ થઈ શકે નહિ. જેટલા શુભાશુભ રાગ છે તે અશુદ્ધ ભાવ છે. શુભાશુભ ભાવને પોતાનું સ્વરૂપ માનવું, તેને ગુણકર માનવા, કરવા જેવા માનવા, તે નિશ્ચય મિથ્યાત્વ-અગૃહીત મિથ્યાત્વ છે. વિકારને કર્તવ્ય માન્યું તેણે અવિકારી સ્વભાવ માન્યો નહિ. પોતાના સ્વભાવને પૂર્ણ અવિકારીપણે માનવો તે સાચી દષ્ટિ છે. તેના જોર વિના ત્રણ કાળમાં કોઈનું હિત થતું નથી. ૧૩૩.
આત્મા અચિન્ય સામર્થ્યવાળો છે. તેમાં અનંત ગુણસ્વભાવ છે. તેની રુચિ થયા વિના ઉપયોગ પરમાંથી પલટીને સ્વમાં આવી શકતો નથી. પાપભાવોની રુચિમાં જે પડ્યા છે તેમની તો વાત જ શી? પણ પુષ્યની રુચિવાળા બાહ્ય ત્યાગ કરે, તપ કરે, દ્રવ્યલિંગ ધારે તોપણ જ્યાં સુધી શુભની રુચિ છે ત્યાં સુધી ઉપયોગ પર તરફથી પલટીને સ્વમાં આવી શકતો નથી. માટે પહેલાં પરની રુચિ પલટાવવાથી
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com