________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮
ગુરુદેવશ્રીનાં વચનામૃત
ઉપયોગ પર તરફથી પલટીને સ્વમાં આવી શકે છે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. ૧૩૪.
*
જ્ઞાયકસ્વભાવ સાથે એકતા કરીને જે જ્ઞાયકભાવરૂપ પરિણમન થયું તે મોક્ષનો માર્ગ છે. માટે, જ્ઞાની કહે છે કે હે વત્સ! તું તારા જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરીને, તારી પરિણતિને તેમાં જ વાળ; તારી પરિણતિને પર તરફથી પાછી વાળીને સ્વ તરફ વાળ; સ્વભાવના મહિનામાં જ તેને એકાગ્ર કર. સમયસારમાં આવે છે નેઆમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃત, તુજને સુખ અહો ! ઉત્તમ થશે.
યોગસારમાં પણ કહ્યું છે કેજેમ રમતું મન વિષયમાં, તેમ જો આત્મ લીન; શીવ્ર લહે નિર્વાણપદ, ધરે ન દેહ નવીન.
–૧૩પ.
પોતાના ચિદાનંદસ્વભાવના અભિમુખ થઈને તેના અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવો તે જ આત્માનું સાચું અભિનંદન છે. આ સિવાય જગતના લોકો ભેગા થઈને પ્રશંસા કરે કે અભિનંદનપત્ર આપે તેમાં આત્માનું કાંઈ હિત નથી. અરે પ્રભુ!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com