________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬O
ગુરુદેવશ્રીનાં વચનામૃત
પ્રશ્ન:- દ્રવ્યમાં પર્યાય નથી તો પછી પર્યાયને કેમ ગૌણ કરાવવામાં આવે છે?
ઉત્તર:- દ્રવ્યમાં અર્થાત્ તેના ધ્રૌવ્યાંશમાં પર્યાય નથી, પણ તેનો જે વર્તમાન પ્રગટ પરિણમતો અંશ તે અપેક્ષાએ તો તેમાં પર્યાય છે. પર્યાય સર્વથા નથી જએમ નથી. પર્યાય છે, પણ તેની ઉપેક્ષા કરીને, ગૌણ કરીને, “નથી” એમ કહીને, તેનું લક્ષ છોડાવી, દ્રવ્યનું ધ્રુવ સ્વભાવનું-લક્ષ ને દષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તેથી દ્રવ્યને ધ્રુવ સ્વભાવને મુખ્ય કરી, ભૂતાર્થ કહી, તેની દષ્ટિ કરાવી છે; ને પર્યાયની ઉપેક્ષા કરી, ગૌણ કરી, “પર્યાય નથી, અસત્યાર્થ છે” એમ કહીં, તેનું લક્ષ છોડાવ્યું છે. જો પર્યાય સર્વથા જ ન હોય તો ગૌણ કરવાનું પણ કયાં રહે છે? દ્રવ્ય (ધ્રૌવ્ય) અને પર્યાય બે થઈને આખું દ્રવ્ય (વસ્તુ ) તે પ્રમાણજ્ઞાનનો વિષય છે. ૯૬.
ભાઈ ! એક વાર હરખ તો લાવ કે અહો! મારો આત્મા આવો પરમાત્મસ્વરૂપ છે, જ્ઞાનાનંદની શક્તિથી ભરેલો છે; મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી.
અરેરે ! હું હીણો થઈ ગયો, વિકારી થઈ ગયો, હવે મારું શું થશે?' એમ ડર નહિ, મૂંઝા નહિ, હતાશ થા નહિ. એક વાર સ્વભાવનો ઉત્સાહ
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com