________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૪૧
થાય છે તેમ જાણવું, તે બધો વ્યવહારનય છે. વ્યવહારને જાણતાં અધૂરી અવસ્થાનો ખ્યાલ રહે છે, વ્યવહારને જાણતાં કાંઈ વ્યવહારનો આશ્રય આવી જાય છે એમ નથી. નિશ્ચયનયનો વિષય જે અખંડ જ્ઞાયકવસ્તુ છે તેનો આશ્રય કરવાથી મુનિવરો મુક્તિને પ્રાપ્ત કરે છે. ૬૦.
પોતાની પાછળ વિકરાળ વાઘ ઝપટું મારતો દોડતો આવતો હોય તો પોતે કેવી દોટ મૂકે? એ વિસામો ખાવા ઊભો રહેતો હશે? એવી રીતે અરે! આ કાળ ઝપટું મારતો ચાલ્યો આવે છે ને અંદર કામ કરવાનાં ઘણાં છે એમ પોતાને અંદરમાં લાગવું જોઈએ. ૬૧.
સમ્યગ્દર્શન એ કોઈ અપૂર્વ ચીજ છે. શરીરનાં ચામડાં ઊતરડીને ખાર છાંટનાર ઉપર પણ ક્રોધ ન કર્યોએવાં વ્યવહારચારિત્રો આ જીવે અનંત વાર પાળ્યાં છે, પણ સમ્યગ્દર્શન એક વાર પણ પ્રાપ્ત કર્યું નથી. લાખો જીવોની હિંસાના પાપ કરતાં મિથ્યાદર્શનનું પાપ અનંતગણું છે. સમકિત સહેલું નથી, લાખો કરોડોમાં કોઈક વિરલ જીવને જ તે હોય છે. સમકિતી જીવ પોતાનો નિર્ણય પોતે જ કરી શકે
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com