________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
નિષેધ કરે તો તે જૈનદર્શનને સમજ્યો નથી, તેથી તે મિથ્યાદષ્ટિ છે. ૪૫.
પરમાત્માની પ્રતિમાને પૂજવાનો ભાવ આવે, પણ એ ધર્મ નથી. ભૂમિકામાં હજુ સાધકપણું છે એટલે એવા ભાવ આવે ને? સિદ્ધપણું નથી એટલું બાધકપણું-એવા શુભ ભાવ-આવે. આવે, પણ તે ય તરીકે આવે, જાણવા માટે આવે; જ્ઞાની તો તેનો માત્ર જ્ઞાતા જ છે. સમયસાર-નાટકમાં આવે છે ને
'कहत बनारसी अलप भवथिति जाकी,
सोई जिनप्रतिमा प्रवाँनै जिन सारखी।।'
જિનેન્દ્રની મૂર્તિ સાક્ષાત્ જિનેન્દ્ર તુલ્ય વીતરાગભાવવાહી હોય છે. જે અપેક્ષાએ કહ્યું હોય તે અપેક્ષા જાણવી જોઈએ. જિનપ્રતિમા છે, તેની પૂજા, ભક્તિ બધું છે. સ્વરૂપમાં જ્યારે ઠરી શકે નહિ ત્યારે, અશુભથી બચવા, એવો શુભ ભાવ આવ્યા વિના રહે નહિ. “એવો ભાવ ન જ આવે ”—એમ માને તેને વસ્તુસ્વરૂપની ખબર નથી; અને આ માટે તેનાથી ધર્મ છે એમ માને તોપણ તે બરાબર નથી; એ શુભ રાગ બંધનું કારણ છે.
જ્યાં સુધી અબંધ પરિણામ પૂરા પ્રગટ થયા નથી, ત્યાં સુધી અધૂરી દશામાં એવા બંધના પરિણામ
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com