________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
આવી શકે છે. ૪૩.
*
અંતરના ભાવમાંથી-ઊંડાણમાંથી ભાવના ઊઠે તો માર્ગ સરળ થાય. આત્મા અંદર શુદ્ધચૈતન્ય છે. અંદરની રુચિથી એની ભાવના ઊઠે અને વસ્તુના લક્ષ સહિત વાંચન–વિચાર કરે તો માર્ગ મળે. શ્રી મોક્ષમાર્ગપ્રકાશકમાં આવે છે કે, વાંચન સાચું હોય છતાં જે માન ને પૂજા માટે વાંચે છે તેનું જ્ઞાન ખોટું છે. તેનો હેતુ જગતને રાજી રાખવાનો ને પોતાની વિશેષતા-મોટપ પોષવાનો હોય તો તેનું બધું વાંચવું-વિચારવું અજ્ઞાન છે. ૪૪.
*
૨૯
સ્યાદવાદ એ તો સનાતન જૈનદર્શન છે; તેને જેમ છે તેમ સમજવું જોઈએ. વસ્તુ ત્રિકાળી ધ્રુવ છે; તેની અપેક્ષાએ એક સમયની શુદ્ધ પર્યાયને પણ ભલે હૈય કહે છે; પણ બીજી બાજુ, શુભ રાગ આવે છે-હોય છે; એનાં નિમિત્તો દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો શુભ રાગ હોય છે. ભગવાનની પ્રતિમા હોય છે; તેને જે ન માને તે પણ મિથ્યાદષ્ટિ છે. ભલે તેનાથી ધર્મ થતો નથી, પણ તેને ઉથાપે તો મિથ્યાદષ્ટિ છે. શુભ રાગ તૈય છે, દુઃખરૂપ છે, પણ એ ભાવ હોય છે; તેનાં નિમિત્તો ભગવાનની પ્રતિમા આદિ હોય છે. તેનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com