________________
૨૫૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮ | ગાથા-૪-૫ અવતરણિકા -
પૂર્વ ગાથામાં વ્યવહારનયના બે ભેદ બતાવ્યા. હવે ગાથા-૪ અને ૫માં વ્યવહારનયના પ્રથમ ભેદના બે ભેદો બતાવે છે – ગાથા :
ઉપચરિતાનુપચરિતથી રે, પહિલો દોઈ પ્રકાર; સોપાવિક ગુણ-ગુર્ણિ ભેદઈ રે, જિએની મતિ ઉપચાર રે.
પ્રાણી II૮/૪ ગાથાર્થ :
ઉપચરિતાનુપચરિતથી=ઉપચરિત અને અનુપચરિતથી, પહેલો સદ્ભુત વ્યવહાર, બે પ્રકારનો છે. સોપાધિક ગુણ-ગુણીના ભેદથી જિઅન =જીવની, મતિ એ ઉપચાર સદ્ભુત વ્યવહારનો ઉપચરિતરૂપ પહેલો ભેદ છે. ll૮/૪ll બો -
પહલ જે-સદભૂત વ્યવહાર તે ૨ પ્રકારિ છઈ. એક ઉપચરિત સદભૂત વ્યવહાર, બીજી અનુપચરિત સદભૂત વ્યવહાર. સપાધિક ગુણગુાિર્મદ દેખાડિઇં, તિહાં પ્રથમ ભેદ-જિમ-“નવી મતિજ્ઞાન.” ઉપાધિ-સ્નેહ જ ઈહાં ઉપચાર. II૮/૪
ટબાર્થ :
પહેલો જે સભૂત વ્યવહાર, તે બે પ્રકારે છે. એક ઉપચરિત સદભૂત વ્યવહાર, બીજો અનુપચરિત સદ્દભૂત વ્યવહાર. સોપાધિકાકર્મની ઉપાધિથી સહિત, એવાં ગુણ-ગુણીનો ભેદ–ગુણ જ્ઞાનાદિક અને ગુણી આત્મા તેનો ભેદ, દેખાડે. તેમાં પ્રથમ ભેદ=ઉપચરિત સદ્દભૂત વ્યવહારરૂપ પ્રથમ ભેદ, કહે છે. ‘જેમ જીવનું મતિજ્ઞાન.'
અહીં પ્રશ્ન થાય કે, “જીવનું મતિજ્ઞાન' તે કથનમાં ઉપચાર શું છે કે જેથી ઉપચરિતરૂપ પ્રથમ ભેદ બને ? તેથી કહે છે –
ઉપાધિ-આત્માને કર્મરૂપ ઉપાધિ, સ્વીકારી તેહ જ અહીંaઉપચરિત સદ્દભૂત વ્યવહારમાં, ઉપચાર છે. li૮/૪
ગાથા :
નિરુપારિક ગુણ ગુણિ ભેદઈ રે, અનુપચરિત સભૂત; કેવલજ્ઞાનાદિક ગુણા રે, આતમના અદભૂત રે. પ્રાણી II૮/પા