Book Title: Dharm Tattva Chintan Part 01
Author(s): Sheelchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 15
________________ મહા મહિનો જૈનો માટે પ્રતિષ્ઠાનો અને ધનવ્યયનો મહિનો આ વખતે બની રહ્યો. અનેક અનેક ઠેકાણે કરોડો કરોડોના ખર્ચે થયેલા નૂતન દેરાસરો અને તીર્થોની અંજનશલાકા - પ્રતિષ્ઠાના મહામહોત્સવો આ દિવસોમાં થયા. તે નિમિત્તે લખલૂટ ધનવ્યય થયો. તે પ્રસંગે દીક્ષા સહિત અન્યાન્ય વિવિધ કાર્યો પણ થયાં. આ પ્રસંગોને અનુલક્ષીને જે આમંત્રણ પત્રિકાઓ છપાઈ, તેનું વૈવિધ્ય પણ અનેરું રહ્યું. તમામ મુખ્ય અને મહત્ત્વપૂર્ણ ઉપક્રમોની વિશિષ્ટ પત્રિકાઓનું જ માત્ર અવલોકન કરીએ, તો તેના પ્રકાશન અને વિતરણ પાછળ થયેલ સદ્વ્યયનો આંકડો એકાદ કરોડને આંબી જાય તો શક્ય છે. આ બધું જ, જે તે ઉપક્રમ સાથે સંકળાયેલ વ્યકિતઓ/વર્ગને માટે તો અત્યંત આવશ્યક, આનંદદાયક અને વળી ધર્મ આરાધનારૂપ જ હોય, તેમ નિઃશંક માની શકાય. વિચારક વર્ગ આ બધી બાબતે જરા જુદી રીતે વિચારે. એ એમ પૂછે કે આ કંકોત્રીઓનું, પ્રસંગ પત્યા પછી, શું કરવાનું? એમાં પણ બધી પત્રિકાઓમાં અનેકવિધ તસવીરો છાપી જ હોય છે. હવે તો જે લોકો ફોટોગ્રાફ છાપવાનો નિષેધ કરનારા હતા તેઓ પણ ભગવાનની અને પોતાની છબીઓ છપાવવા લાગ્યા છે. આ ફોટાઓની આશાતના ન થાય? આ બધું પસ્તીમાં ન ફેરવાઈ જાય? વિચારશીલ માણસ એમ પણ વિચારે કે જે લોકો સ્થાપના-નિક્ષેપામાં એટલે મૂર્તિમાં નથી માનતા તેવા સંપ્રદાયના લોકો પણ હવે તો ભગવાનનાં આગમસૂત્રોને સરસ ચિત્રો સાથે છપાવવા માંડ્યા છે, અને એ રીતે આગમોના ઉપદેશોને વધુ લોકભોગ્ય તથા લોકપ્રિય બનાવવા મહેનત કરી રહ્યા છે. આપણે ત્યાં બધી જ ક્ષમતાઓ તથા ધન, માત્ર કંકોત્રીઓની નવનવી ડિઝાઈનો માટે જ વપરાય છે. શું આ ધન તથા શક્તિનો સદુપયોગ આગમો તથા શાસ્ત્રોના સુંદર અલંકૃત પ્રકાશનાદિ માટે ન થઈ શકે ? ગુજરાતમાં વિસનગર નજીક ઉમતા ગામમાં સેંકડો જિનબિંબો સાથેનું પ્રાચીન જિનાલય ધરતીમાંથી નીકળ્યું છે. તેમાં દિગંબર-શ્વેતાંબર બન્ને સંપ્રદાયોનો સંબંધ જોડાયેલો છે. કરોડોના ખર્ચે નવાં નવાં તીર્થોનાં નિર્માણ કરનારા – આપણા કોઈ શક્તિસંપન્ન મહાત્માનું ધ્યાન આ દિશામાં હજી સુધી કેમ જતું નથી ? તીર્થોમાં કેસ-ક્લેશો ચાલે છે. ત્યારે આ તો ઘરને આંગણે રસ લેવા લાયક તીર્થ જડ્યું છે. આપણી બેદરકારીનો પૂરો લાભ દિગંબર પક્ષે ઉઠાવી લીધો છે. સરકારી ગ્રાન્ટ સહિત બધું જ તે પક્ષ વગે કર્યું જાય છે. ર૫-૫૦ કરોડ ખર્ચાવી ના જાણનાર લોકો આવી ઐતિહાસિક વાતે તદ્દન અજ્ઞાન, બેદરકાર, ઉદાસ કેમ ધર્મચિન્તન

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 310