Book Title: Dharm Tattva Chintan Part 01
Author(s): Sheelchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

View full book text
Previous | Next

Page 14
________________ દશા કેવી થાય ! જાણે હાથમાં આવેલો કોળિયો કોઈએ ઝૂંટવી લીધો હોય એવી લાગણી થાય ને? ક્રોધ, દ્વેષ, હતાશા, વ્યાકુળતા વગેરે ભાવો પેદા થાય ને ? સંસાર સાવ જૂઠો, નકામો, નગુણો હોવાનું ભાસવા માંડે ને ? ઇચ્છા જોખમાય ત્યારે અને અહં ઘવાય ત્યારે આવો ક્લેશ અવશ્ય થાય જ, અને આનું જ નામ તો સંસાર ! આ સંસારથી બચવાની તત્પરતા-જાગૃતિ કેળવે તેનું નામ સાધક. તેનું નામ સાધુ. પોતાની ઇચ્છા પ્રમાણે ન થાય, વિપરીત થાય, ઈચ્છા અધૂરી રહી જાય; બીજાઓની અયોગ્ય ઇચ્છા પ્રમાણે થાય અને આપણી યોગ્ય ઇચ્છાઓ પણ રહી જાય; એવા સંયોગોમાં અહંજન્ય ઇચ્છાને કે ઇચ્છાજન્ય અહંને લેશ પણ મહત્ત્વ ન અપાઈ જાય, બલ્બ “જે થાય તે સારા માટે” અને “જ્ઞાની ભગવંતે દીઠું હોય તેમ જ બને' - આવી સમજણ કેળવાય તેટલી તે જ આત્માની અને શાસનની - ધર્મની – અધ્યાત્મની સાધના કરી શકે. ઇચ્છાની સફળતા પણ અને નિષ્ફળતા પણ, મોટાભાગે નકારાત્મક વલણો ચિત્તમાં જન્માવે છે. સફળતા મળે તો અહં વકરશે, તેથી તુચ્છતા - તોછડાઈ - ઉદ્ધતાઈ વધશે; નિષ્ફળતા મળે તો પ્રતિશોધની વૃત્તિ ઉગશે અને નિરાશા તથા લઘુતાગ્રંથિ જેવાં વલણો વકરવા માંડશે. આ બધું જ ક્લેશ” છે. જ્યાં ક્લેશ છે ત્યાં ક્ષુદ્રતા છે જ છે. શુદ્ર-સમૂહની વચમાં રહેતો સાધક ક્લેશથી બચવાની ભરચક મથામણ કરતો રહીને પોતાના ચિત્તને પ્રસન્ન – અશુદ્ર રાખી શકે તો તેજ તેની સાધના છે – અક્લેશ સાધના. શુદ્ધાત્મા સુખી હોઈ શકે, પ્રસન્ન ન હોય. અક્ષુદ્ર સાધકનું લક્ષ્ય પ્રસન્નતા હોય, સુખ નહિ. અને તે પ્રસન્નતા ટકાવવા માટે, મેળવવા તથા વધારવા માટે થઈને જ તે પોતાની યોગ્ય, આત્મહિતકારી, સ્વપર-ઉષકારી ઇચ્છાઓનું પણ બલિદાન આપતાં પણ ખચકાટ અનુભવતો નથી. (માગશર-૨૦૫૯)

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 310