________________
આવશ્યકસૂત્રના કર્તા કેણુ?
[ ૫૩ આદિના પરિવર્તન સાથે લાભની સંભાવનાથી નિર્યુક્તિ પછી પણ રચાયેલાં છે અને ઉમેરાયેલાં પણ છે; અને આજે આપણે એ સૂત્રોને નિર્યુક્તિપૂર્વભાવી સૂત્ર જેટલાં જ અગત્યના માનીએ છીએ. તેવી રીતે ગણધર સુધમથી માંડી શ્રી. ભદ્રબાહુસ્વામી સુધી અનેક સૂત્ર રચાયેલાં હોવાં જ જોઈએ. તેથી જ શ્રી. સિદ્ધસેન ગણિ વગેરે આવશ્યકસૂત્રને શ્રી જબૂ, પ્રભવ આદિ આચાર્ય પ્રણીત કહે છે. અલબત્ત, એ સૂત્રસમૂહમાં કઈ કઈ સૂત્ર ગૌતમાદિ ગણધરકૃત પણ હોય એવી સંભાવનાને ખાસ સ્થાન છે, પણ અહીં મારે મુદ્દો સંપૂર્ણ ઉપલબ્ધ આવશ્યકના કત સંબંધે છે. હું પહેલાં જ સૂચિત કરી ગયો છું કે ઉપલબ્ધ પ્રમાણે માત્ર એટલું જ સાબિત કરી શકે છે કે ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યક શ્રુતસ્કંધ ગણધરત નથી. આથી કઈ અમુક સૂત્ર ગણધરકૃત, હેય એમ માનવામાં કશો જ બાધ નથી અને તેથી જ શ્રી. હરિભદ્રસૂરિના
ઈરિયાવહિય સત્ર ગણધરકથિત છે” એવા મતલબના ઉલ્લેખને પણ ઘટાવી શકાય તેમ છે.
સંપૂર્ણ આવશ્યકનાં સૂત્રો કોઈ એક જ કર્તાની કૃતિ હોય તેમ નથી. તેના કર્તા શ્રી. જંબુ, પ્રભવ આદિ અનેક સ્થવિરે હોય તેવો સંભવ છે, અને તેમ છતાં તે આવશ્યકનું પ્રાચીનત્વ અને મહત્ત્વ જરાયે ઘટતું નથી. હવે પછી કઈ વિચારક સંપૂર્ણ આવશ્યક સૂત્રને ગણધરકૃત સાબિત કરે એવા સ્પષ્ટ. ઉલ્લેખ રજૂ કરશે તે તે સંબંધમાં જરા પણ પૂર્વગ્રહ રાખ્યા સિવાય પ્રમાણુંનુસારી વિચાર કરવા અને ફરી પ્રમાણેનું બલબલ તપાસવા પ્રયત્ન થશે.
સંપૂર્ણ ઉપલબ્ધ આવશ્યક શ્રુતસ્કંધ ગણધરકૃત નથી, તેમ જ તેનાં બધાં સૂત્રે કોઈ એક કર્તાની કૃતિ નથી એ વાત જે ઉપરની વિચારસરણીથી સાબિત થતી હોય તોયે કેટલુંક ખાસ વિચારવાનું અને પરીક્ષણ કરવાનું કામ બાકી રહે છે. જેમ કે ભગવાન મહાવીરના સમયમાં કયાં કયાં આવસ્યકને લગતાં સૂત્ર વ્યહવારમાં આવતાં અને કયાં કયાં તે વખતે રચાયેલાં, તેમ જ તે પ્રાચીન સૂત્રો ચાલુ રહીને નવીન સૂત્રે ક્યાં ક્યાં ક્યારે ઉમેરાયાં, તેમ જ નવીન સૂત્ર દાખલ થતાં ક્યાં અને કેટલાં પ્રાચીન સૂત્રો વ્યવહારમાંથી અદશ્ય થયાં અગર તે રૂપાન્તર પામ્યાં; તેમ જ પ્રત્યેક પ્રાચીન કે ઉત્તરકાલીન સૂત્રો કોની કોની કતિ છે?—આ અને આના જેવા અનેક વિચારણીય પ્રશ્નો છે. તેનો ઊહાપોહ કરવાનું મન નથી એમ તે નહિ જ, પણ અત્યારે એ કામ કરવા સાવકાશ ન હોવાથી વિચારક અને ઐતિહાસિક વિદ્વાનોનું આ બાબત તરફ લક્ષ ખેંચું છું. આશા છે કે વિદ્યારસિકે આ બાબતમાં વધારે મહેનત કરી નવું ઘણું જાણવા જેવું ઉપસ્થિત કરશે.
–જૈન સાહિત્ય સંશોધક ખ ૩, અંક ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org