Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મધ્યવર્તી પ્રદેશમાં સ્થિત રહ્યા કરે છે. આ મધ્યગત અવધિજ્ઞાન સ્પર્ધકને અનુસાર હોય છે. તેનાથી સમસ્ત દિગરૂપ અર્થની પ્રાપ્તિ થાય છે. જો કે તેને ઉપયોગ પૂર્ણ આત્મામાં થાય છે તે પણ તેની મધ્યમાં જ સ્પર્ધકને સદ્ભાવ રહ્યા કરે છે. તેથી તે સાક્ષાત્ મધ્યભાગથી જ પ્રાપ્ત થાય છે ના તથા સમસ્ત આત્મપ્રદેશમાં ક્ષપશમને સદ્ભાવ હોય છે તે પણ ઔદારિક શરીરના મધ્યભાગથી તેની પ્રાપ્તિ થાય છે, તેથી તે ઔદારિક શરીરમધ્યગત માનવામાં આવે છે. ૨T તથા તે અવધિજ્ઞાનદ્વારા સમસ્ત દિશાઓમાં જે ક્ષેત્ર પ્રકાશિત કરાય છે તે ક્ષેત્રની મધ્યમાં તેની પ્રાપ્તિ થાય છે, તેથી તે તદ્મદ્યોતિતક્ષેત્રમધ્યગત કહેવાય છે, કારણ કે તે અવધિજ્ઞાની તે અવધિજ્ઞાન વડે પ્રકાશિત ક્ષેત્રની મધ્યમાં જ રહ્યા કરે છે, તેનાથી બહાર નહીં. ૩.
વળી શિષ્ય પૂછે છે –“રે વિ સંતા ” એ, પૂર્વનિર્દિષ્ટ અક્તગત અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે? આચાર્ય કહે છે-“તાં વિવિ quત્ત ” અંતગત અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું કહેવાયું છે. તે આ પ્રમાણે છે-(૧) પુરતોs«ાત (૨) માતોષાત (૩) પર્વતોડત્તાત ફરીને શિષ્ય પૂછે છે. “સે વિ તં પુરોલંતા ?” પુરતોદત્તાત અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે? હવે ગુરુમહારાજ “પુરતોડત્તા” અવધિજ્ઞાનનું સ્વરૂપ દષ્ટાંત સાથે સમજાવે છે-“પુત્રો સંતાયે તે જ નામ” જેમ કેઈ (વિક્ષિત) પુરૂષ ઉલ્કાને-પ્રકાશિત જવાળા–મશાલને, ચલિકાને–જેના આગળના ભાગમાં અગ્નિ સળગતી હોય તેવા પૂળાને, અલાતને–આગળના ભાગમાં અગ્નિવાળાં લાકડાને, મને–પદ્મરાગ આદિ મણીને, દીવાને, તિને-સામાન્ય બળતી અગ્નિને, આગળ ધરીને તેને સંભાળતે સંભાળતે તેમનાથી પ્રકાશિત માર્ગમાં ચાલે છે એજ પુરતેન્તગત અવધિજ્ઞાન છે. એટલે કે રાત્રે જેમ કેઈ પુરૂષ ઉલ્કાદિક પ્રકાશને હાથમાં લઈને તેને આગળ ધરીને ચાલે છે અને તેમનાથી પ્રકાશિત થયેલા આગળના માર્ગની તરફ જ દેખે છે, બીજે નહીં, એજ પ્રમાણે આગળ જતા પ્રકાશની જેમ જે અવધિજ્ઞાનથી આગળના તરફ જ અવધિજ્ઞાન દેખે છે બીજે નહીં, તે પુરોડનત્તલત અવધિજ્ઞાન છે ૧
વળી શિષ્ય પૂછે છે-“માતોડતત ” અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે? આચાર્ય જવાબ આપે છે-“મrોગંતાં તે કા નામg” ઈત્યાદિ. જેમ કેઈ વ્યક્તિ ઉલકાને, ચટલિકાને, અલાતને, મણીને, દીવાને, કે જ્યોતિને પાછળ રાખીને ચાલે છે તે “માતો તનત’ અવધિજ્ઞાન છે, એટલે કે જે રીતે પીઠની પાછળ પ્રકાશ કરીને ચાલનારી વ્યક્તિ પાછળનાં પદાર્થોને દેખે છે, એજ રીતે એ અવધિ
શ્રી નન્દી સૂત્ર
૫૦