Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(સ્વીકારવા ચેાગ્ય) માન્યું છે. આ રીતે માનવાથી એ વાત સ્વતઃ સિદ્ધ થઈ જાય છે કે તે છ પ્રકારામાં ભેદ છે. જેમ-એક એક આકાશના પ્રદેશમાં અવગાઢ (રહેલ) જે એક જીવના ઘન છે તે ઘૂમતા ઘૂમતા જેટલાં ક્ષેત્રના સ્પર્શ કરે છે તેના કરતાં અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ (રહેલ) જીવના ઘન અસ ખ્યાતગણુાં ક્ષેત્રના સ્પર્શ કરનાર હશે. તેનાં કરતાં પણ એક એક પ્રદેશમાં અવગાઢ જીવના પ્રતર અસંખ્યાત ગણા ક્ષેત્રના સ્પ કરશે, તેનાં કરતાં પણ અસંખ્યાત ગણુાં ક્ષેત્રના સ્પર્શ અસખ્યેય પ્રદેશાવગાઢ જીવ પ્રતર કરશે, તેનાં કરતાં પણ જે એક-એક-પ્રદેશાવગાઢ જીવશ્રેણિ હશે તે અસ`ખ્યાત ગણાં ક્ષેત્રના સ્પર્શ કરશે, અને તેનાં કરતાં પણ જે અસંખ્યાતઆકાશપ્રદેશાવગાઢ એક એક અગ્નિજીવ શ્રેણિ હશે તે અસંખ્યાત ગણાં ક્ષેત્રને સ્પર્શ કરશે. આ રીતે એક-એક-પ્રદેશાવગાઢ જીવ ઘનથી લઇને અસ ંખ્યાત આકાશપ્રદેશાવગાઢ એક એક અગ્નિજીવશ્રેણિ સુધી ક્રમશઃ આકાશપ્રદેશ અસંખ્યાત ગણુા થતા જાય છે, અને આ અલાકમાં લેાકપ્રમાણુ અસંખ્યેય આકાશખડા સુધી વધી જાય છે. આ રીતે છઠ્ઠા ભેદરૂપ જે શ્રેણ છે તે અલેાકમાં લેાકપ્રમાણ અસંખ્યાત આકાશખંડોના સ્પર્શ કરનારી બની જાય છે, અને એટલુ' જ અવિધજ્ઞાનનું ઉત્કૃષ્ટ વિષયક્ષેત્ર સિદ્ધ થાય છે.
શંકા—અવધિજ્ઞાનના વિષય તા શાસ્ત્રકારોએ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શવાળા રૂપી પદાર્થ જ મતાન્યા છે તે પછી આપ તેને વિષય અરૂપી પદાર્થ શા માટે ખતાવા છે. ક્ષેત્ર તેા અમૂર્ત છે અને તે જ્યારે અવધિજ્ઞાનના વિષયભૂત થશે ત્યારે ‘ અવધિજ્ઞાન અરૂપી પદાર્થને જાણનારૂ છે” આ વાત માનવી પડશે કે જો સિદ્ધાંતની માન્યતાથી પ્રતિકૂળ છે. આ પ્રતિકૂળતાનું નિવારણ કરવા માટે જો એમ કહેવાય કે અરૂપી પદાર્થ અવધિજ્ઞાનના વિષય હાતા નથી તેા પછી ક્ષેત્ર અમૂર્ત હાવાથી તેના વિષય કેવી રીતે માની શકાય ?
ઉત્તર—આ શંકા સમજ્યા વિના કરેલ છે, કારણ કે સૂત્રકાર એવું કાં કહે છે કે “ આટલું આકાશરૂપ ક્ષેત્ર અવધિજ્ઞાનના વિષય છે.” તે તે અમૂત
શ્રી નન્દી સૂત્ર
૬૧