Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પરસ્પર વિચાર કરવા લાગ્યા કે કહો ભાઈ, આ કામ કેવી રીતે થઈ શકશે ? વિચારવિનિમય માટે તેમણે ગામની બહાર એક સભા પણ બોલાવી. પિત પિતાની વિચારધારા સંભળાવ્યા પછી વિચાર ઘણું જેરથી ત્યાં ચાલવા લાગ્યા કે ભાઈ! કહે હવે શું કરવું જોઈએ ? રાજાની તે આજ્ઞાનું પાલન કરવું ઘણું દુષ્કર છે. જે આપણે તેનું પાલન નહી કરીએ તે એ ભૂલવા જેવું નથી કે રાજાની તરફથી આપણા ઉપર અનેક મહાન અનર્થોની વર્ષા થશે. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં મધ્યાહ્નકાળ થા. લેકનાં ચિત્તમાંથી ખાવાપીવાની ચિન્તા પણ ચાલી ગઈ. સભામાં રેહકના પિતા પણ હાજર હતાં. હવે ઘેર રેહકે વિચાર કર્યો કે “પિતાજી વિના હું કેવી રીતે ભેજન કરૂ? શુધા મને સતાવી રહી છે. શી ખબર તેઓ ક્યારે ઘેર પાછાં આવશે ? તો હું જાતે જ ત્યાં જઈને તેમને બોલાવી લાવું.” આ પ્રમાણે વિચાર કરીને તે સભામાં પિતાની પાસે ગયે અને કહ્યું. “પિતાજી! જમવાને વખત થઈ ગયે છે. હું સુધાથી વ્યાકુળ થઈ ગયે છે, તે હવે આપ ઘેર ચાલે ” રેહકની વાત સાંભળીને પિતાએ મહેણું મારીને તેને કહ્યું. “બેટા! તને ખાવાની પડી છે, અહીં તે ખાધેલું પણ પચતું નથી. તને ખબર નથી કે અત્યારે ગામ કેવાં સંકટમાં મૂકાયું છે. પિતાની એવી અને ખી વાત સાંભળીને હક ચૂપ રહી શક્યા નહીં, તેણે કહ્યું, “પિતાજી! મને કહે કે અત્યારે ગામ પર કર્યું સંકટ આવી પડયું છે?” પુત્રની વાત સાંભળીને પિતાએ તેને રાજાને જે આદેશ હતું તે આદિથી અંત સુધી કહી સંભળાવ્યો. પિતાનાં વચન સાંભળીને હકને સહેજ હાસ્ય થયુંતેણે કહ્યું, “પિતાજી! આ કર્યું મોટું કષ્ટ છે? તેનું હમણા જ નિવારણ થઈ જશે. આપ ચિન્તા ન કરો. મંડપ બનાવવા માટે શિલાની નીચેની જમીન ખેદા અને સાથે સાથે ત્યાં યથાસ્થાને સ્થભે પણ ઉભા કરાવે, તથા તેની ચારે તરફ દિવાલ પણ બનાવરાવતા જાઓ. આ પ્રમાણે કરવાથી રાજ્ય એગ્ય મંડપ તૈયાર થઈ જશે.”
શ્રી નન્દી સૂત્ર
૨૭૩