Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 310
________________ તેમના ઝગડાને નિર્ણય કર્યો અને રાજપુરૂષોને હુકમ કર્યો કે આ બન્ને પાસે જે ધન છે તેના બે ભાગ પાડો અને બાળકના પણ કરવતથી ચીરીને બે ટુકડા કરો. એક એક ટુકડે તથા દ્રવ્યને એક એક હિસ્સો આ બન્નેને આપે. મંત્રીના એવાં વચન સાંભળતાં જ બાળકની માતાના હૃદયમાં આઘાત લાગ્યો. તેના પર જાણે વજને પ્રહાર પડયે હોય તેમ આઘાત પામેલી તે રડતી રડતી મંત્રીને કહેવા લાગી, “સાહેબ બાળકના બે ટુકડા ન કરાવશે. ભલે આ બાળક તેની પાસે રહે. મને આ હાલતમાં બાળક લેવાની ઈચ્છા નથી. પુત્ર તેને જ આપી દે. તેની પાસે રહેવાથી તે જીવતો તો રહેશે. આ સ્થિતિમાં ઘરની માલિક બનવામાં મને કંઈ સુખ નહીં મળે. ભલે તે જ ઘરની માલિક બને, મને એ વાતનું બિલકુલ દુઃખ નથી. હું તે બીજા લોકોના ઘરનું કામકાજ કરીને અંદગીના બાકીના દિવસે કાપીશ, પણ બાળક તે સુરક્ષિત રહેશે, અને હું ત્યાંથી જ તેને જોઈને આનંદિત થતી રહીશ. મહારાજ! બાળક મરશે તે હું કઈ પણ રીતે જીવી શકીશ નહીં” જ્યારે બાળકની માતા આમ કહેતી હતી ત્યારે વિમાતા એ એવું કંઈ પણ ન કહ્યું. તેથી મંત્રી એ સમજી લીધું કે બાળકની સાચી માતા આ સ્ત્રી જ છે. પેલી નથી. તેથી તેજ ઘરની માલિક થવાની હકદાર છે. તેમ સમજીને તેમણે તે પુત્ર તેને સેંગે અને ઘરની માલિક પણ તેને જ બનાવી. અને બીજી સ્ત્રીને-વિમાતાને સજા કરી. છે ૧૭ આ સત્તરમું પુત્રદૃષ્ટાંત સમાપ્ત પાછા મધુસિન્થદ્દષ્ટાન્તઃ અઢારમું મધુસિકથ (મધપુડા)નું દષ્ટાંતએક નદી હતી. તેના બન્ને કાંઠે માછીમાર રહેતાં હતાં. તેઓ વચ્ચે જાતિવ્યવહાર હોવાં છતાં તેઓ અંદર અંદર ઝગડતાં હતાં. આ ઝગડાને કારણે શ્રી નન્દી સૂત્ર ૩૦૩

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350