Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકારની સંખ્યા આખ્યાયાકાદિક દસ ધર્મકથાઓમાં પણ કહેવામાં આવેલ છે, આ કારણે નવજ્ઞાતમાં કહેવાયાને કારણે દસ ધર્મકથાઓમાં એ એક સાડી એકવીસ કરોડ આખ્યાયિકા આદિક પુનરુકત થાય છે. એ પુનરુકત આખ્યાયિકા આદિકેને છેડીને બાકી રહેતી આધ્યાયિકાઓની સંખ્યા સાડા ત્રણ કરોડ (૩૫૦૦૦૦૦૦) રહે છે. એ પુનરુક્ત આખ્યાયિકાદિ ને મનમાં રાખીને જ ભગવાને “વમેવ સપુષ્યાળું બધુ જાણકારી મવંતતિ મનવાળો” એમ કહેલ છે. તેથી અહીં કેઈ દોષ નથી. આ વિષયમાં બે ગાથાઓ છે "पणवीसं कोडिसयं, एत्थय समलक्खणाइया जम्हा। नवनाययसंबद्धा, अक्खाइयमाइया तेणं ॥१॥ ते सोहिज्जति फुडं, इमाउ रासीउवेग्गलाणं (विविक्तानां) तु ।
gણા વન્નિાઈ, પાઇને વિજિદિ” ૨. રૂતિ . તેને ભાવાર્થ આ પ્રમાણે છે-ધર્મકથામાં આવેલ આખ્યાયિકાદિકેની સંખ્યા એકસો પચીશ કરોડ છે. તઓમાંથી નવજ્ઞાતમાં કહેલ સમાન લક્ષણેવાળી-સમાન સ્વરૂપવાળી એક સાડી એકવીસ કરોડ આખ્યાયિકાદિકને બાદ કરવામાં આવે તે પૂર્વોક્ત રાશિથી બચેલ પુનરુકિત રહિત આખ્યાયિકાદિકની સંખ્યા સાડા ત્રણ કરોડ થાય છે. મૂળમાં એજ સાડાત્રણ કરોડ આખ્યાયિકાદિકનું પ્રમાણુ કહેલ છે.
અહીં આ પ્રમાણે સ્થાપના છે– ધર્મકથામાં આવેલ આખ્યાયિકાદિકની સંખ્યા ૧૨૫૦૦૦૦૦૦૦ શોધનીય જ્ઞાતાસ્થિત આખ્યાયિકાદિકની સંખ્યા ૧૨૧૫૦૦૦૦૦૦ બાકી રહેલ આખયિકાદિકેની સંખ્યા ૩૫૦૦૦૦૦૦
આ રીતે જ્ઞાતા અને ધર્મકથાની સંકલિત આખ્યાયિકાદિની સંખ્યા બે અબજ, છેતાળીશ કરેડ પચાશ લાખ (૨૪૬૫૦૦૦૦૦૦) થાય છે. તેમાંથી એક અબજ સાડી એકવીસ કરેડ (૧૨૧૫૦૦૦૦૦૦) પુનરુક્ત આખ્યાયિકાદિકેને બાદ કરતાં જ્ઞાતાધર્મકથાંગમાં અપુનરુક્ત આખ્યાયિકાદિકનું પ્રમાણ એક અબજ પચીશ કરોડ (૧૨૫૦૦૦૦૦૦૦) થાય છે.
આ જ્ઞાતાધર્મકથા નામના અંગમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુગ દ્વાર છે, શબ્દથી સંખ્યાત વેષ્ટક છે. સંખ્યાત શ્લોક છે, સંખ્યાત નિકિતયો છે. સંખ્યાત સંગ્રહણિયો છે, અને સંખ્યાત પ્રતિપત્તિ છે. આ બધાં અંગોમાંનું છઠું અંગ છે. આ છઠ્ઠાં અંગમાં બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધમાં ઓગણીસ અધ્યયન છે. ઓગણીસ (૧૯) ઉદેશનકાળ છે. અને ઓગણીસ (૧૯) સમુદેશનકાળ છે.
શ્રી નન્દી સૂત્ર
૨૪૬