Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બધી પરપર્યાય છે. એ જ પ્રકારે ઇવ આદિ વ્યંજનાક્ષરોમાં પણ સ્વપર્યાય અને પરપર્યાય સમજી લેવી જોઈએ. એ જે પરપર્યાયે છે તે તે વ્યંજનાક્ષરની જ સ્વપર્યાયના જેવી પર્યા છે. એટલે કે જેમ સ્વપર્યાય વ્યંજનાક્ષરની પિતાની પર્યાયે કહેવામાં આવી છે તેમ પર પર્યાયે પણ તે વ્યંજનાક્ષરની માનવામાં આવે છે, કારણ કે તેઓ ત્યાં વ્યવએછેદ્ય છે અને તેથી તે વિવક્ષિત અકારાદિ અક્ષરની તેઓ વિશેષક હોય છે, જેમકે “આ મારે શત્રુ છે” એમ કહેવામાં આવે છે.
સ્વપર્યાય અને પરપર્યાય એ બન્ને બે બે પ્રકારની બતાવી છે. એક સંબદ્ધ અને બીજી અસંબદ્ધ. વિવક્ષિત શબ્દની જે પર્યાય થયા કરે છે તેઓ ત્યાં અસ્તિત્વધર્મથી સંબંધિત રહ્યા કરે છે, અને જે પરપર્યાયો હોય છે તેઓ ત્યાં નાસ્તિત્વધર્મથી સંબંધિત રહ્યા કરે છે. સ્વપર્યાયે નાસ્તિત્વધર્મથી સંબંધિત હેતી નથી, કારણ કે વસ્તુની સ્વપર્યાયે વસ્તુમાં અસ્તિત્વમથી સંબંધિત અને નાસ્તિત્વધર્મથી અસંબંધિત માનવામાં આવી છે. એ જ પ્રમાણે પરપર્યાયે વસ્તુમાં નાસ્તિત્વધર્મથી સંબંધિત અને અસ્તિત્વધર્મથી અસંબંધિત બતાવવામાં આવેલ છે. જેમકે “ઘટ” શબ્દમાં “ઘ, સ, શ,” રૂપ એટલે કે ઘકાર, પ્રકાર, અકાર રૂપ જે પર્યાય છે તે ત્યાં (ઘટમાં) અસ્તિત્વધર્મથી સંબંધ રાખનારી છે, કારણ કે તેમની ત્યાં હાજરી છે. તથા “રથ” આદિમાં તેમની વિદ્યમાનતા ( હાજરી) ન હોવાને કારણે તેઓ ત્યાં (રથ આદિમાં) અસ્તિત્વધર્મથી અસંબધિત છે. આ રીતે સ્વય ત્યાં (ઘટ શબ્દમાં) અસ્તિત્વથી સંબદ્ધ છે અને અન્યત્ર (રથ આદિમાં ) અસ્તિત્વથી તે સંબદ્ધ નથી, તથા એજ સ્વપર્યાય નાસ્તિત્વથી ત્યાં અસંબદ્ધ છે અને અસ્તિત્વથી સંબદ્ધ છે. એજ પ્રમાણે રથ આદિ શબ્દની જે સ્વપર્યા છે તેઓ ત્યાં અસ્તિત્વધર્મથી સસંબધિત છે, કારણ કે તેમની જ ત્યાં વિદ્યમાનતા છે, “ઘટ' શબ્દમાં તેમની વિદ્યમાનતા ન હોવાથી તેઓ ત્યાં અસંબંધિત છે. “રથ” શબ્દમાં તેઓ નાસ્તિત્વધર્મથી અસંબદ્ધ તે કારણે માની છે કે ત્યાં તેમની (ા છે, જ) વિદ્યમાનતા છે અને ઘટ શબ્દમાં નાસ્તિત્વધર્મથી સંબંધિત તે કારણે માનેલી
શ્રી નન્દી સૂત્ર
૧૯૧