Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે કે ત્યાં તેમની (ર, થ, મની) અવિદ્યમાનતા છે. આ રીતે વપર્યાય અને પરપર્યાય, એ બન્ને પ્રકારની પર્યાયો પોતપોતાના વ્યંજનાક્ષામાં સંબદ્ધ અને અસંબદ્ધ ભેદવાળી સિદ્ધ થાય છે. આ પ્રકારે અહીં સુધી વ્યંજનાક્ષરનું વર્ણન થયું.
શિષ્ય લધ્યક્ષરના વિષયમાં પૂછે છે-“જ તં દ્ધિમાહેર ” ઈત્યાદિ લધ્યક્ષરનું શું સ્વરૂપ છે? ઉત્તર–લબ્ધિ ઉપયોગનું નામ છે, આ ઉપગ શબ્દ અને અર્થને જે પર્યાલચનરૂપ વ્યાપાર હોય છે તેનું સ્વરૂપ અહીં ગ્રહણ કરેલ છે. આ રીતે લબ્ધિરૂપ જે અક્ષર છે તે લધ્યક્ષર છે, અને તે ભાવકૃતરૂપ છે. અક્ષરલબ્ધિક-એટલે કે અક્ષરનું ઉચ્ચારણ કરવામાં અથવા અક્ષરને અવધ કરવામાં ઉપયેગ-યુક્ત વ્યકિતને એ ભાવકૃત ઉત્પન્ન થાય છે. અકારાદિ અક્ષરાનુગત-શ્રુતલબ્ધિ સમન્વિત પ્રાણીને શબ્દાદિ ગ્રહણ કર્યા પછી, ઈન્દ્રિય અને મન નિમિત્તક જે શબ્દ અને અર્થની પર્યાલચના અનુસાર જ્ઞાન ઉત્પન્ન થાય છે એજ ભાવકૃત છે. જેમકે શંખને શબ્દ જ્યારે કાને પડે છે. ત્યારે શ્રોતાને એવો જે વિચાર થાય છે કે “ આ બીજાને શબ્દ નથી, આ તે શંખને શબ્દ છે” એનું નામ ભાવકૃત છે.
શંકા– ધ્યક્ષરરૂપ ભાવકૃતનું આપ જે સ્વરૂપ પ્રગટ કરે છે, તે તે સંજ્ઞીપંચેન્દ્રિય પ્રાણીમાં જ ઘટાવી શકાય છે, અસંજ્ઞી એકેન્દ્રિયાદિકમાં નહીં, કારણ કે તેમનામાં એવી લબ્ધિ નથી કે જેથી તેઓ અકાર આદિ અક્ષરને અવગમ અથવા ઉચ્ચારણ કરી શકે. અકાર આદિ અક્ષરનું જે અવગમ આદી થાય છે તે પરના ઉપદેશ શ્રવણ પૂવર્ક થાય છે. તેમનામાં કણેન્દ્રિય અને મનને અભાવ હેવાથી પરોપદેશ શ્રવણતા આવતી નથી. પણ લધ્યક્ષરરૂપ આ ભાવથુત તે એકેન્દ્રિય આદિ પ્રાણિઓમાં પણ શાસ્ત્રકારોએ બતાવ્યું છે. જેમકે કહ્યું છે કે
વસુથમાવંfમ વિ, માવથે પત્યિવાદ ઈતિ. દ્રવ્યશ્રુતના અભાવમાં પણ પૃથિવ્યાદિ-એકેન્દ્રિયદિક જેમાં ભાવશ્રુત થાય છે, પણ જે ભાવશ્રતને અર્થ “શબ્દ અને અર્થનું પર્યાલચન કરવું તે ભાવકૃત છે ? એ પ્રમાણે કરાય તે તેમનામાં ભાવકૃતને સદ્ભાવ કેવી રીતે સિદ્ધ થઈ શકે છે. કારણ કે શબ્દ અને અર્થના પર્યાલોચનરૂપ ભાવકૃત અક્ષરના વિના સંભવિત હોતું નથી.
ઉત્તર--શંકા બરાબર છે, પણ જે તેના પર વિચાર કરવામાં આવે તો એ વાત સમજવામાં આવી જ જાય છે. હા, એ ઉચિત છે કે એ એકેન્દ્રિયાદિક જીવોમાં પપદેશ શ્રવણની સંભવિતતા નથી, છતાં પણ તેમનામાં એ પ્રકારને ક્ષપશમ અવશ્ય છે, કે જેથી તેમનામાં અવ્યક્ત અક્ષરલબ્ધિ હોય છે, અને તેથી જ અક્ષરાનુષકત શ્રુતજ્ઞાન તેમને થાય છે. એ વાત આ રીતે તેમનામાં જાણી શકાય છે કે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, એ ચાર પ્રકારની જે
શ્રી નન્દી સૂત્ર
૧૯૨