Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આનાઅથ શ્રોત્રેન્દ્રિયના વિષયમાં કરાયેલ અથ સમાનજ છે, પણ અહીં, એ વિશેષતા છે કે શ્રોત્રેન્દ્રિયના વિષયભૂતપદાર્થ માં શ્રોત્રેન્દ્રિયજન્ય અર્થાવગ્રહના પહેલાં જેવા વ્યંજનાવગ્રહ થવાનુ કહ્યુ છે, એવા વ્યંજનાવગ્રહ અહી થતા નથી. તેનુ' કારણ એ છે કે એ બન્ને ઈન્દ્રિયા અપ્રાપ્યકારી છે. શેષ ઈન્દ્રિયેાના વિષયભૂત પદાર્થીમાં જ આ વ્યંજનાવગ્રહ અર્થાવગ્રહના પહેલાં થાય છે, કારણ કે ચાર ઇંન્દ્રિયા પ્રાપ્યકારી છે. બાકીનાં પદોનું વ્યાખ્યાન શ્રોત્રેન્દ્રિ વિષેનાં સૂત્રમાં રહેલ પદાપ્રમાણેજ સમજવાનું છે.
<<
હવે સૂત્રકાર ઘ્રાણેન્દ્રિય જનિત અવગ્રહાર્દિકનું વર્ણન કરે છે તે નાनामए० ’’ ઈત્યાદિ. આપદોની વ્યાખ્યા પણ પહેલાની જેમજ સમજવાની છે. એજ પ્રમાણે રસનેન્દ્રિય જનિત અગ્રહાર્દિકાનું, સ્પર્શેન્દ્રિયજનિત અવગ્રહાર્દિકાનુ અને ન ઈન્દ્રિયજનિત અવગ્રહાર્દિકનું વર્ણન પણ સમજી લેવું જોઇએ. ના ઈન્દ્રિયજનિત અર્થાવગ્રહની પહેલાં વ્યંજનાવગ્રહ થતા નથી. આ વાત સમજાવી દેવામાં આવી છે, કારણ કે મન અપ્રાપ્યકારી છે.
હવે સૂત્રકાર મલક ( શકેારા )નાં દૃષ્ટાંતના ઉપસ'હાર કરતા કહે છેકે મલ્લકનાં દૃષ્ટાંતથી અટ્ઠાવીસ પ્રકારના આભિનિાધિક જ્ઞાનની આ પ્રરૂપણા કરી છે. તેનું તાત્પર્ય એ છે કે આ આભિનિાધિકજ્ઞાન પાંચઈન્દ્રિય અને મનથી થાયછે. પ્રત્યેક ઈન્દ્રિયથી જ્ઞાત પદાર્થીમાં અવગ્રહ, ઈહા, અવાય, અને ધારણા એ બધું થાયછે. આરીતે અર્થાવગ્રહની અપેક્ષાએ ચાવીસ ભેદપડેછે. તથા વ્યંજનાવગ્રહની અપેક્ષાએ ખીજા ચારભેદપડેછે. આરીતે અઠ્ઠાવીસપ્રકારના આભિનિાધિકજ્ઞાનની પ્રરૂપણા મલ્કનુ દૃષ્ટાંત લઇને પૂર્ણ થઇ,
હવે સૂત્રકાર આભિનિબાધિકજ્ઞાનના-મતિજ્ઞાનના-ત્રણસો છત્રીસ (૩૩૬) ભેદ કઇ રીતે થાય છે એ વાત પ્રગટ કરે છે. (૧) મહુ, (૨) મહુવિધ, (૩) ક્ષિપ્ર, (૪) અનિશ્ચિત, (૫) અસંદિગ્ધ, અને () ધ્રુવ. આ ભેદોથી તથા તેના ઉલટા (૧) એક, (૨) એકવિધ, (૩) અક્ષિપ્ર, (૪) નિશ્ચિત, (૫) સ ંદિગ્ધ, (૬) અપ્રુવ,
એ ભેદ્દોથી શબ્દાર્દિક પદાર્થ બાર બાર પ્રકારના હોય છે.
એ ખાર બાર પ્રકારના શબ્દાદ્વિપદાથ શ્રેત્રેન્દ્રિયાદિ છ વડે યથાયેાગ્ય ગૃહીત થાય છે. તેથી ખારને છ વડે ગુણુતા ખેતેર ભેદ થાય છે. એ બેતેરમાં પણ પ્રત્યેક અવગ્રહ, ઇહા, અવાય, અને ધારણાના ભેદથી ચાર ચાર પ્રકારના હાય છે. આ પ્રકારે બધા મળીને ખસેા અડ્ડાસી (૨૮૮) ભેદ થાય છે. તથા
શ્રી નન્દી સૂત્ર
૧૭૮