Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ ગાથાના ભાવાથ આ પ્રમાણે છે-જેટલા વાકા હોય છે તે બધા અવધારણસહિત હોય છે. આ ન્યાયાનુસાર અહીં જે ઉપલબ્ધિ શ્રેત્રેન્દ્રિયથી ઉત્પન્ન થઈ છે. એજ ઉપલબ્ધિ શ્રુતજ્ઞાન માનવામાં આવેલ છે. શ્રાદ્રેન્દ્રિયા પલબ્ધિ પણ અહીં એજ શ્રુતજ્ઞાનરૂપ સમજવી કે જે શ્રુતાનુસારિણી હાય. જે શ્રાત્રેન્દ્રિચેપલબ્ધિ અવગ્રહ, ઇહા, અને અવાયરૂપ હાય તે શ્રુત નથી, તે તા મતિજ્ઞાનરૂપ જ છે, કારણ કે અવગ્રહાદિરૂપ શ્રેત્રેન્દ્રિયેાપલબ્ધિ શ્રુતાનુસારિણી હાતી નથી. જો એમ કહેવામાં આવે કે “બ્રાત્રેન્દ્રિયોવધિઃ શ્રુતમેવ ” શ્રોત્રેન્દ્રિચેપલબ્ધિ શ્રુત જ છે તે આ પ્રકારના કથનથી મતિજ્ઞાનમાં પણ શ્રુતજ્ઞાનપણાને પ્રસંગ પ્રાપ્ત થઈ શકે છે. તેથી એમ ન કહેતાં એમ જે કહેલ છે કે શ્રોત્રેન્દ્રિચોવધિરેવ શ્રુતમ્ ” શ્રોત્ર ઇન્દ્રિયથી ઉત્પન્ન થયેલ જ્ઞાન જ શ્રુત છે. એજ નિર્દોષ છે. આ કથનથી એ વાત પણ સિદ્ધ થઈ જાય છે કે જ્યારે શ્રોત્રેન્દ્રિયાપલબ્ધિ શ્રુતાનુસારિણી હોતી નથી ત્યારે તે તે મતિજ્ઞાનરૂપ હોય છે, અને જ્યારે તે શ્રુતાનુસારિણી હોય છે ત્યારે તે શ્રુતજ્ઞાનરૂપ હાય છે.
(શેષ 'તુ મતિજ્ઞાનમ્ )જે ઉપલબ્ધિ ચક્ષુ આદિ ઈન્દ્રિયાથી ઉત્પન્ન થાય છે તે ઉપલબ્ધિરૂપ જ્ઞાન મતિજ્ઞાન છે, શ્રુતજ્ઞાન નથી. ગાથામાં આવેલ ‘“તુ’” શબ્દ એ બતાવે છે કે શ્રોત્ર ઇન્દ્રિયથી જન્ય પણ કાઈ કાઈ ઉપલબ્ધિ જે અવગ્રહ, ઈહા, અને અવાયરૂપ હોય છે તે મતિજ્ઞાન છે. આ પ્રમાણે ચક્ષુ વગેરે ઇન્દ્રિયજન્ય ઉપલબ્ધિમાં સામાન્યરૂપે મતિજ્ઞાનરૂપતા પ્રાપ્ત હવાથી સૂત્રકાર તેમાં પણ સંશાધન રજુ કરતા કહે છે કે- મોનળ યુસુર ” “મુવા, દ્રષ્યશ્રુતમ્ ” દ્રવ્યશ્રુતને છોડીને બાકીની ઈન્દ્રિયામાં જે અક્ષરલાભ થાય છે શબ્દ અને તેના અર્થની પર્યાલાચના થાય છે. તે પણ શ્રુતજ્ઞાન છે મતિજ્ઞાન નથી. માત્ર અક્ષરના લાભ શ્રુતજ્ઞાન નથી પણ શબ્દ અને તેના અર્થની પર્યાલાચનાત્મકતારૂપ જે અક્ષરલાભ છે એજ શ્રુત છે, કારણ કે કેવળ અક્ષરલાભતા ઈહ્વાદરૂપ મતિજ્ઞાનમાં પણ સંભવિત હાય છે.
શંકાજો માકીની ઇન્દ્રિયામાં અક્ષરલાભ શ્રુત છે તે પહેલાં જે એવુ' અવધારણ કર્યું છે કે “ શ્રોત્રેન્દ્રિયોવરેિવ શ્રુતમ્ ” તે ચેગ્ય લાગતું નથી.
શ્રી નન્દી સૂત્ર
૧૨૮