________________
(૩૪)
રાજધ, ' : જિતેંદ્રિયતા
.
:
કે જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાલે છે,
જ્યાં સુધી કાન વારાંગનાનાં ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વપવન જેવાનું લક્ષ રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિગ્રંથ, નિષ્પરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઈદ્રિય વશ કરી શકાય છે. મન જીતવું બહુ દુર્ઘટ છે. એક સમયમાં અસંખ્યાત
જન ચાલનાર અશ્વ તે મન છે એને થકાવવું બહુ દુર્લભ છે. એની ગતિ ચપળ અને ન ઝાલી શકાય તેવી છે. મહાતાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને સ્થભિત રાખી સર્વત્ર જય કર્યો છે. છે - ઉત્તરાધનસૂત્રમાં નમિરાજ મહર્ષિએ શકેંદ્ર પ્રત્યે એમ કહ્યું છે કે લાખ સુભટને જીતનાર કઈક પડયા છે; પરંતુ સ્વાત્માને જીતનારા બહુ દુર્લભ છે;
અને તે દશ લાખ સુભટને જીતનાર કરતાં અત્યુત્તમ છે. | મનજ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે, મનજ બંધ અને મોક્ષનું કારણ
છે. મનજ સર્વ સંસારની મેહનીરૂપ છે. એ વશ થતાં આત્મસ્વરૂપને પામવું લેશ માત્ર દુર્લભ નથી ! ! ! !! . . . . .
મનવડે ઈન્દ્રિયોની લોલુપતા છે. ભેજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સધળું મજા માગે છે. એ મેહ આડે તે ધર્મને સંભારવા પણ દેતું નથી. સંભાર્યા પછી સાવધાન થવા દેતું નથી. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યુનતા પશુ ન પામતાં અડગ રહીને મનને જીતે છે, તે સર્વ સિદ્ધિને પામે છે. - મન અકસ્માત કેઈથીજ જીતી શકાય છે, નહીંતે ગ્રહસ્થાશ્રમે અભ્યાસ કરીને જ જીતાય છે. એ અભ્યાસ નિર્ચથતામાં બહુ થઈ શકે છે, છતાં સામાન્ય પરિચય માગીએ તે તેને મુખ્ય માર્ગ આ છે કે, તે જે દરેછા કરે તેને ભૂલી જવી, તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દસ્પર્શાદ વિલાસ ઇચ્છે ત્યારે આપવાં નહીં. ટુંકામાં આપણે એથી દોરાવું નહીં, પણ આપણે એને દેરવું; અને દરવું તે પણ મોક્ષમાર્ગમાં. જિતેંદ્રિયતા વિના સર્વ પ્રકારની
TE
Scanned by CamScanner