Book Title: Rajbodh
Author(s): Mansukhlal Ravjibhai Mehta
Publisher: Mansukhlal Ravjibhai Mehta

View full book text
Previous | Next

Page 137
________________ વર્ષ ૩૧ મું” * (૧૩૯) (૧૨) પરમ પુરૂષ દશા, સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સવભાવથી જે સર્વ આ પ્રકારે અપતિબદ્ધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થાય તે પરમ પુરૂષને નમસ્કાર, જેને કઇ પ્રિય નથી, જેને કંઇ અપ્રિય નથી; જેને કોઇ શત્રુ નથી, જેને કઈ મિત્ર નથી; જે માન અપમાન; લાભ અલાભ; હર્ષ, શોક; જન્મ, મૃત્યુ આદિ ને અભાવ કરી શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે, અને પામશે, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. દેહપ્રત્યે જે વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ્ય દીઠે છે, માનપ્રત્યે તરવારનો જેવો સંબંધ છે, તેવો દેહપ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠે છે. અબદ્ધ-સ્પષ્ટ-આત્મા જેણે અનુભવ્યું છે, તે મહાપુરૂષોને જીવન અને મરણ બને સમાન છે. (૧૨૩) આત્મ સ્વરૂપ. જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિત્તિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે, એ નિશ્ચય જે.પરમકૃપાળુ પુરૂષોએ પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ વેત થઈ જાય છેપણ કંઈ ચંદ્ર ભૂમિ રૂ ૫ કોઈ કાળે તેમ થતું નથી, એમ | Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146