________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः १४१ પ્રમાણ પણ કેઈને આશ્રયીને દુર્ઘટ બને છે તેથી શું આપણે તેને નિષેધ જ કરી શકીએ છીએ?
તેમજ આ આગમપ્રમાણમાં સામા માણસને તદ્દન સત્યરૂપે સિદ્ધ થયેલી વસ્તુ પરને બંધ કરવા માટે વચનદ્વારા જણાવવામાં આવે છે.
અહિં એક શંકા એ કરવામાં આવે છે કે શાસ્ત્રોના પ્રણેતાને જોયા વિના તેની આસપરીક્ષા શી રીતે થઈ શકે? ને તે પરીક્ષા થયા વિના તેમના વચન ઉપર કેમ વિશ્વાસ બેસી શકે ?
આને ઉત્તર એ હોઈ શકે કે જેમના વચનેથી ઉત્પન્ન થત અર્થેધ વ્યવસ્થિતરીતે ચોક્કસ અર્થસંગત હોય તે તે વચનના પ્રણેતાને આપણે આપ્ત તરીકે સ્વીકારવામાં કઈ જાતને બાધ ન ઉઠાવી શકીએ. ઉપચારથી આપ્તવચન આગમ પ્રમાણુ બને છે– __ उपचारादाप्तवचनं च
રા અર્થ—અને ઉપચારથી પ્રમાણિક પુરુષનું વચન તે આગમ પ્રમાણુ બને છે.
વિશેષાર્થ—–જગતમાં તે અર્થજ્ઞાનને કેઈ આગમ કહેતું નથી. પરંતુ પ્રમાણિક પુરુષના કથિત વચનેજ આગમ કહેવાય છે. તેનું કારણ એ છે કે અર્થજ્ઞાનમાં પ્રમાણિક પુરુષનું વચન એ અનન્ય કારણ છે. માટે આ અનન્ય કારણમાં કાર્યોને ઉપચાર કરવામાં આવ્યો છે. એટલે જ પ્રમાણિક પુરુનું વચન તે આગમ તેરીકે લેખાય છે.