Book Title: Pramannay tattvalolankar
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Mafatlal Zaverchand Gandhi

View full book text
Previous | Next

Page 287
________________ २२२ प्रमाणनयतत्त्वालोकालङ्कारः સુખ કેદુ:ખની પ્રાપ્તિ કે પરિહારની જિજ્ઞાસાએ પ્રવૃત્તિ કરીએ છીએ તે કાઇ ને કોઇ વસ્તુ વિષયકજ હોય છે. વસ્તુવિના કોઇપણુ કાળે માણસને શૂન્ય ખાધ થાયજ નહિ. આ રીતે જે વસ્તુ વિષયક જ્ઞાન કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે તે પદાર્થ પ્રમેય છે. હવે આ પ્રમેયના બેષ પ્રમાણ ભેદ અને અભેદ દ્રષ્ટિથી મિશ્રરીતે કરે છે. જે ભૂત અને ભાવિ બન્નેમાં એક સરખી રહેનાર વસ્તુની અવસ્થાને અનુલક્ષીને વસ્તુના બેધ કરનાર દૃષ્ટિ તે અભેદૃષ્ટિ. અને વત માનને અનુલક્ષીને વિચાર કરનાર સૃષ્ટિ તે લેયષ્ટિ. આ બન્ને દૃષ્ટિથી મિશ્રરીતે પ્રમાણ પ્રમેયને જાણે છે. પરંતુ તેમાં અભેદષ્ટિથી જણાતા વસ્તુઓના વિષય તે સામાન્ય અને ભેદષ્ટિથી જણાતા વસ્તુઓને વિષય તે વિશેષ છે. આ બન્ને સૃષ્ટિના મિશ્રિત વિષય તે પ્રમાણથી જાણવા ચેાગ્ય પ્રમેય છે. અને પૃથક પૃથક્ સાપેક્ષ વિષય તે નયના વિષયભૂત છે. અર્થાત્ મૂળ દ્રવ્ય તે સામાન્ય અને તે દ્રવ્યમાં થનારાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને અનુસરનારાં રૂપાન્તરો તે પર્યાય ચા વિશેષ છે. દ્રવ્ય,પર્યાય યા વિશેષ સિવાય ન હોઇ શકે અને પયાય દ્રવ્ય સિવાય ન હોઇ શકે. આરીતે પદાથ સામાન્ય વિશેષ યુકત છે. પરંતુ કેવળ સામાન્ય યુકત કે પર્યાય યુક્ત નથી. જેમ, સંધાનવીના છુટા છુટા અ કાડામાત્રથી સાંકળ ન ખની શકે તેમ જગતમાં આવેલા તમામ પદાથી કેવળ ભેદરૂપ નથી. પરંતુ અભેદ પણ છે. તેમજ કેવળ અભેદ્યરૂપેકરીને પદાથ અખંડ જ છે એમ પણ ન કહી શકાય.

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298