Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
આકલાવ તેમ
એ આવ્યાં થાય છે
ભાવવા શુદિ પંચમીનું મહા પર્વ. કરાવ્યું. પછી પોતે, પિતાની ગતિને અર્થે પરદેશમાં જઈને કેઈ એક ઋષિને પૂછયું જે મહારો બાપ બલદ થયે છે, અને માતા કૂતરી થઈ છે, તેની શી ગતિ થશે? તે સાંભળી ઋષિ બોલ્યો કે અપ્રસ્તા કામક્રીડા કીધી, તેના પાપથી કૂતરી તથા બલદ થયાં છે. હવે જે દશ દશ મૂઠી અડદના બાકલા ઋષિ પાંચમને દિવસેં ખાય તે ગતિ થાય. પછી તે બ્રાહ્મણે તેમજ કીધું; તે દિવસથી લેકને વિષે ઋષિ. પાંચમનું નામ પ્રસિદ્ધ થયું છે.
હવે શ્રી પવૂષણ પર્વ આવ્યાં થકાં સાધુને ( ૧ ) લેચ કરે, (૨) ધર્મકાર્ય કરવું, (૩) અઠમ તપ કરવું, (૪) સર્વ દેરાશરને વિષે અરિહંતની ભક્તિ કરવી, (૫) શ્રીસંઘની માંહે ખામણાં કરવાં. એ પાંચ કારણ મોટાં છે.
શ્રી તીર્થકર ગણધરે કહ્યું છે કે પર્યુષણ પર્વ આવ્યાં થકા શ્રાવકે (૧) યથા શકતું તપ, જપ કરવાં, (૨) શ્રતજ્ઞાનની ભક્તિ કરવી, (૩) તેલાદિકનું વ્રત કરવું, (૪) અભયદાન દેવું, (પ) સોપારી, નલીયર પ્રમુખની પ્રભાવના કરવી, (૬) શ્રીવીતરાગદેવની પ્રતિમા પૂજવી, (૭) શ્રીસંઘની ભક્તિ કરવી, (૮) સચિત્ત વસ્તુને ત્યાગ કર, (૯) કર્મ ક્ષય નિમિત્ત કાઉસગ્ન કર, (૧૦) બ્રહ્મચર્ય પાલવું, (૧૧) આરંભ વર્જ, (૧૨) પિતાની શક્તિ પ્રમાણે દ્રવ્ય ખરચવું, (૧૩) મહા મહોત્સવ કરે.
પ્રથમ તે ભાદ્રવા શુદ્ધ પંચમીના દિવસેં રાત્રિનું સાંવત્સરિક પડિકમણું કરયા પછી ઉભાં રહ્યાં થકાં કલ્પ સૂત્રને પાઠ, મુખે કહેતા હતા, અને બીજા સાધુ સર્વ કાઉસ્સગ્ન કરીને પાઠ સાંભળતા હતા, એ વિધિ હતે.