Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
નવ માસે એક રાત્રી માં વીશ ઉપસર્ગ.
બાંધી, ઈત્યાદિક અનેક ઉપસર્ગ પ્રભુમેં સહન કર્યા. રસ્તામાં ચાર મલ્યા તે અપશુકન જાણું તરવાર કાઢી મારવા દોડયા. તે મરણાંત ઉપસર્ગ જાણી સિદ્ધાર્થે વાર્યા. ત્યાં અનાર્ય દેશમાં મોટા ઉપસર્ગ સહન કરીને ઘણા કર્મોને પ્રભુયે નાશ કર્યો. પછી પૂર્વોક્ત ક્રૂરલેશ્યાને ધણી સંગમ નામેં અધમ દેવતા તેણે આવીને ભગવંતને ચલાવવા સારૂ બહુ ઘણું. મહાટા ઉપસર્ગ કર્યા, તે પ્રભુમેં સહ્યા, તે કહે છે. પ્રથમ તે રેતિને ધૂલને વર્ષાદ વરસાવ્યું. બીજે વાતુંડ કડીચે કરી. શરીર ચાલશું સરખું કીધું. ત્રીજે ડાંસેં કરી શરીરમાં ટકા માર્યો. ચોથે ઘીમેલ કીડિયા થઈ શરીમાં પેઠે. એ ચાર ઉપસર્ગ એક સમયે કર્યા. વલી વીંછીને રૂપે, નેલીયાને રૂપે, સને રૂપે તથા ઉંદરને રૂપે ડંસ્યા. વ્યાધ્રના રૂપ કરી હસ્તીના રૂપ કરી હાથણુના રૂપેં શું ઉંચે ઉછા, પગે મરશે. પિશાચનું રૂપ કરી અટ્ટહાસ કર્યો. સિંહનું રૂપ કરી નખ માર્યા. સિદ્ધાર્થપિતા તથા ત્રિશલા માતાના રૂપ કરી વિલાપ કર્યા. બે પગની વચમાં અગ્નિ બાલી તેના ઉપર અન્ન પકાવ્યું. તીખા મુખ વાલા પંખીના રૂપ વિકુવીને પ્રભુના કાન પ્રમુખના માંસ ખવરાવ્યાં. પ્રચંડ વાયરે કરી ભગવંતને ઉંચા ઉછાલી હેઠા નાખ્યા. કલિકા વાયરે કરી ચકની પેરે ભમાડયા. સહસ ભારનું ચક્ર પ્રભુને માથે મૂછ્યું, તેથી ઢીચણ લગે ભૂમિ માંહે ભગવંત પેશી ગયા. પછી પ્રભાત વિકુવને સંગમ કહેવા લાગે કે હે દેવાર્ય ? ચરિયું જાઓ. તોપણ ભગવંત રાત્રિ જાણી ઉભા રહ્યા. વલી દેવાંગનાનાં રૂપ કરી હાવભાવ દેખાડી અનુકૂલ ઉપસર્ગ કર્યા. એવી રીતે એક રાત્રિમાં વીશ.
છિલી હરાવ્યા પર જિવીએ,