Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૧૩૬.
શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધઃ
પુત્રની ભક્તિને વાઁ જન્મ મહોત્સવ કરવાને દેવલેક થકી આ છું; તમેં કાંઈ બીહીશે નહીં. એમ કહી ભગવંતની માતાને અવસ્થાપિની નિદ્રા આપી અને ભગવંતનું પ્રતિબિંબ માતા પાસે મૂકી, એક રૂપે ભગવંતને કરસંપુટે રાખી, એક રૂપે ભગવંત ઉપર છત્ર ધર્યું, અને બે રૂપે બે પાસું ચામર ઢાલવા લાગ્યો, અને એકરૂપે વજી ઉલાલતે આગલ ચાલ્ય; એમ બધાં મલી પાંચ ૫ ઇંદ્ર મહારાજે વૈકિય કર્યો. તેમાં આગલે પાછલા રૂપને વખાણે અને પાછલે આગલા રૂપને વખાણે. એમ પાંચ રૂપે કરી ઇંદ્ર મહારાજ, મેરૂ પર્વત ઉપર જિહાં પાંડુક વન છે, ત્યાં ભગવંતને લઈ આવીને દક્ષિણ દિશિયે અતિ પાંડુકમલા શિલાને તલે શાશ્વતું સિંહાસન છે, ત્યાં ભગવાનને ઉસંગમાં લઈને ઈંદ્રમહારાજ પૂર્વ સન્મુખ બેઠા. તેવારે તિહાં બાર દેવકના દશ ઇંદ્ર, ભવનપતિના વીશ ઇંદ્ર, વ્યંતરના બત્રીશ ઇદ્ર, અને ચંદ્રમા તથા સૂર્ય, એ બે જ્યોતિષીના ઈ, એ સર્વ મળી શકે ઈદ્ર સપરિવારે પ્રભુને સ્નાન કરાવવાને અર્થે મલ્યા છે. તેમાં પ્રથમ અમ્યુરેંદ્ર એક હજારને આઠ શોનાના કલશ, તથા એક હજારને આઠ રૂપાના કલશ, તથા એક હજારને આઠ રત્નના કલશ, તેમજ ચોથા સુવર્ણ રૌખ્યમય, પાંચમા સુવર્ણરત્નમય, છઠ્ઠા રત્નરખ્યમય, સાતમા સુવર્ણરીખરત્નમય, આઠમા મૃત્તિકામય, એ આઠ જાતિના પ્રત્યેકે એક હજારને આઠ આઠ કલશો કરે. વલી એક કોડને શાઠ લાખ કલશને વિવરે લખીચે છેર્યો. ભવનપતિના વશ ઈદ્ર, વ્યંત૨ના બત્રીશ ઈન્દ્ર, વૈમાનિકના દશ ઇંદ્ર, તથા અઢી દ્વીપના