Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
[ ૬૫
૧૯૦૯ ]
હાનિકારક રીત રીવાજો, બળહીન થતાં તેઓની પ્રજા સંતતિ પણે દુર્બલ રેગી તથા નિસ્તેજ થાય છે. અને ઉત્તરોત્તર આવી શૌર્યહીન સંતતિથી દેશની પ્રજા નિર્માલ્ય બનતી જાય, ગરીબાઈમાં સંડોવાતી જાય. એ સ્વાભાવિક જ છે. આ સંબંધમાં પ્રખ્યા ત ગ્રંથકારના નીચેના શબ્દ ખાસ મનન કરવા ગ્ય છે.
“ Causes and consequences are unalterably related in the organio as in the inorganic world. Nature punishes always and pardons never, when her laws are violated or rather disregarded."
“ જડ તેમજ ચેતન સૃષ્ટિમાં કારણુ કાર્યને સંબંધ એક સરખી રીતે ફેરફાર ન થઈ શકે તેવી રીતે રહેલો છે. કુદરતના કાયદાઓને (નિયમન)
જ્યારે ભંગ કરવામાં આવે છે અગર તેના તરફ બેદરકારી શિથિલતા બતાવવામાં આવે છે ત્યારે કુદરત દરેક વખતે શિક્ષા કરે છે. કઈ પણ વખત માફ કરતી નથી.” | બાળલગ્નથી કેળવણીના સંબંધમાં, શારીરિક સંપત્તિના વિષયમાં અને તેને અંગે સાહસિકપણું, ઉત્સાહ, ધૈર્ય વગેરે ઉપગી ગુણેની બાબતમાં આપણે જે નુકશાન ખમવું પડે છે તે સાધારણ બુદ્ધિના ધણથી પણ સમજી શકાય તેવું છે. પરંતુ કાયદાસર રીતે આવા લગ્ન કેટલે અંશે બંધનકારક ગણાય તે એક મહત્વ વિચારણીય પ્રશ્ન છે. - આપણું પરાપૂર્વના રીત રીવાજે રૂઢીઓને માન આપી હીંદુ હૈના વિ. ષયમાં ન્યાયની કેટે અનુસરે છે. બાળલગ્નથી વિવાહિત થયેલા સ્ત્રી પુરૂષેના લગ્નની વ્યાજબીપણાની કાયદાસર રીતની ચગ્યતાની તકરારના કેસ હજુ કેટમાં મંડાયા નથી. પરંતુ તે સમય બહુ દૂર સંભવ નથી. લગ્ન પહેલાં વેવિશાળ (betrothal ) કરવામાં આવે છે અને ગમે તેવા સંજોગોમાં પણ જ્ઞાતિ બંધારણના નિયમો તેને બંધનકારક ગણે છે. આ સંબંધમાં કવંચિત્ શિથિલતા જોવામાં આવે છે. વેવિશાળ તેડનારને ભારે સજા જ્ઞાતિ તરફથી કરવામાં આવતી નથી તે પણ આવા કેસે બહુજ ચેડા બને છે. પરંતુ ન્યાયની કેર્ટ તરફથી વેવિશાળ સંબંધથી જોડાતા સ્ત્રી પુરૂષની સંમતિ સિવાય કરવામાં આવેલ વેવિશાળ (સગાઈ) ને બંધનકારક-નહિ તેડી શકાય તેવું બંધનકારક-ગણવામાં આવતું નથી. (જુઓ પરશોત્તમદાસ વિ. પરશોતમદાસ. મુંબઈ હાઈકોર્ટને ફેંસલો. ) છે કે લગ્ન સંબંધને અન્ય પ્રજાની માફક થે અંશે ધાર્મિક ક્રિયાનું સ્વરૂપ આપી વધારે અંશે કરારની ગણનામાં આપણે મેલતા નથી. અને તેને લીધે જ