Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
॥ ૐ નમઃ શિન્દેમ્યઃ ॥
શ્રી નૈન (શ્વેતામ્બર) જોન્સ હેરલ્ડ.
लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसा कीर्तिस्तमालिंगति प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धुमुत्कण्ठया । स्वःश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते, यः संघ गुणसंघकेलिसदनं श्रेयेारुचिः सेवते
ભાવાર્થ:—ગુણુસમૂહ જેવુ ક્રીડાસ્થાન છે એવા શ્રી સંધની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને પ્રાત્સુક એવા જે પુરૂષ કરે છે તે પુરૂષને લક્ષ્મી પેાતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીર્તિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉત્કંઠા સહિત પ્રયત્ના કરે છે, સ્વયંશ્રી તેને ભેટવાને ઇચ્છે છે અને મુકિત તેને વારંવાર જુએ છે.
(અંક ૬.
પુસ્તક પ )
જે, વીર સંવત ૨૪૩૫. જાન સને ૧૯૦૯.
પ્રાસગિક નોંધ.
ગત માસની તા. ૨૨-૨૩-૨૪-૨૫ ના ચાર દિવસેા જૈન કામના ઈતિ હાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. સાતમી કાન્ફરન્સ માટેની તૈયારીઓ છેક મેાડી શરૂ કરવામાં આવી હતી, ને ઘણીજ ઝડપથી સર્વે કામકાજ થયેલુ' હતું, તે છતાં મહાસભાની આ બેઠક સાંગાપાંગ વિજયી નીવડી તે માટે પુના નિવાસી બંધુઓને અમે અભિનંદન આપીએ છીએ. ટુ'ક મુદ્દતમાં એકસ ́પ કરી તેઓએ જે અથાગ પરિશ્રમ લીધા હતા તે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. આ સાતમી બેઠક વખતે પ્રતિનિધિઓમાં મ્હાટ ખળભળાટ ઉભા થશે, કલહ, કુસ‘પ ઉત્પન્ન થશે, સુરતની કાંગ્રેસ જેવા અનુ ભવ થશે, એવા અનેક તરેહના તર્ક વિતર્કાં ઘણી દિશાઓમાંથી ઉઠતા હતા, પણ જૈન કામના સુભાગ્યે આવા તર્ક વિતર્કોં હવાઈ કિલ્લા જેવા જણાયા છે. નિશ્ન સતાષીએ નિરાશ થયા છે, અને કેન્ફરન્સના ચાર દિવસે શાન્તિમાં પસાર થયા છે.
વિજયી નીવડેલી શ્રી સાતમી જૈન શ્વેતાંબર કારન્સ,