Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૭૨ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ
જેટલા ઉત્સાહથી સ્થાપી છે, તેટલાજ ઉત્સાહથી ટકાવી રાખવા દરેક બંધુ ઉદ્યમ કરશેજ એમ અમારી સંપૂર્ણ ખાત્રી છે,
આ ઉત્તમ સંસ્થાના રિપોર્ટ ઉપરથી તેમજ બીજા વર્તમાનપત્રે અને માસિકથી સર્વ જૈન બંધુઓ જાણતા હશે કે આ સંસ્થા પિતાની સ્થાપના પછી પિતાના હેતુઓ પાર પાડવા પાછળ પડી નથી.
છ વર્ષ થયાં ઘણી પાઠશાળાઓએ અને ઘણા વિદ્યાથીઓએ આ સંસ્થામંદિરના શીતળ આશ્રય તળે જે લાભ લીધે છે, તે હવે અફસ! કેળવણી ફંડને અભાવે કોઈને મળ દુલભ થઈ પડયા છે. કેળવણી ફંડ સાથે નિરાશ્રિત આદિ બીજા ખાતાંઓ પણ આવક વગર દુર્બળ થતાં જાય છે. કેન્ફરન્સ નિભાવ કંડ પણ ઘણું ઘસાઈ ગયું છે, ત્યારે આ સંસ્થા માટે કાયમની આવક કેવી રીતે પ્રાપ્ત કરવી તેને ખૂબ વિચાર કરીને પુનામાં મળેલી આપણી વિજયી શ્રી સાતમી કોન્ફરન્સ સુકૃત ભંડારને સ્તુત્ય ઠરાવ કરી તેને લગતી એક ઉત્તમ જના ઘડી કાઢી છે. તે પેજના એવી સહેલી અને સુગમ છે કે જે દરેક જૈનબંધુ તે અમલમાં મુકે તે ક્ષણ માત્રમાં શક્ય થાય તેમ છે. તે પેજના શક્ય તે છેજ કારણ કે જે અશકય હોય તો અત્યાર સુધીમાં આ ચેજનાથી અઢી હજાર કરતાં વધારે રૂપીઆ કદી ભેગા થયા નહોતા. આ પેજના એ છે કે દરેક પરણેલા જૈન સ્ત્રી પુરૂષે પ્રતિ વર્ષે આ સંસ્થાને ઓછામાં ઓછા ચાર આના આપવા.
આ માસમાં અમારા તરફથી આપણું વસ્તીવાળા દરેક ગામના આગેવાને આ સુકૃત ભંડારફંડ ઉઘરાવવા માટે એક વિનંતિ પત્ર લખવામાં આવ્યું છે. આશા છે કે આ વિનંતિ પત્રમાં જણાવ્યા પ્રમાણે દરેક ઉત્સાહી જૈનબંધુ પોતપિતાના ગામમાં સુકૃત ભંડાર ઉઘરાવવા ઉદ્યમ કરશેજ.
મુંબઈના શ્રી સંઘે આ કામમાં સિાથી પહેલ આરંભ કર્યો તે માટે તેને અમે અંતઃકરણથી ધન્યવાદ આપીએ છીએ; અને મુંબઈને દાખલો લઈ બીજા ગામના આગેવાને સુકૃતભંડાર ઉઘરાવશે એમ અમને સંપૂર્ણ આશા છે.
ચાર આના જેવી જાજ રકમ આપણે દરવર્ષે આપવી એટલે એક મહીને માત્ર ચારપાઈ કોન્ફરન્સમાં આપીને કેન્ફરન્સના સર્વે સકાર્યોમાં ભાગીદાર થવું એ અખૂટ પુણ્ય બાંધવાને કે સરળ અને સુગમ રસ્તે છે તે દરેક વિચારશીળ જૈન જોઈ શકશે. સુષ કિબહુના.
માત્ર આ કામમાં જુદા જુદા ગામના સંઘના શેઠ તથા જુદી જુદી ન્યાતના શેઠ તથા આગેવાન ગૃહ, તેમજ ઉત્સાહી ઉપદેશકો તથા સ્વયં સેવકેએ અમોને