Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
ઉપ૦]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જુન
આપણી કેન્ફરન્સના જનરલ સેક્રેટરી, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી. ના ટ્રસ્ટી, તથા અમદાવાદ મ્યુનિસિપલ કૅન્સિલના મેંબર શેઠ ચિમનલાલ નગીનદાસ જેઓ વધર્મને લગતા દરેક કામમાં બાહોશીથી ભાગ લેતા હતા અને જેઓ કેળવાયેલા તેમજ ઉદાર હતા, તેમની નાની વયે થયેલ અકાળ ખેદજનક મૃત્યુની નોંધ આ કેલ્ફરસ દીલગીરી સાથે લે છે.
ગ ઠરાવ ૩ જે.
(પ્રમુખ તરફથી.) મુંબઈ ઈલાકાના આપણા લોકપ્રિય નામદાર ગવર્નરસાહેબ સર જર્જ સિડનહૅમ હંકના પત્ની તેમજ પ્રિય પુત્રીના મરણ માટે આ સમસ્ત ભારત વષય જૈન શ્વેતાંબર કેન્ફરન્સ પોતાની દીલગિરી જાહેર કરે છે તથા તે નામ દારને પિતાના એધા દરમ્યાન બે વખત જે અસહ્ય દુઃખ આવી પડયું છે તેમાં ખરા અંત:કરણથી ભાગ લે છે અને મરનાર લેડી ફેંક અને મિસ કલાકે ના આત્માને શાંતિ મળે એવું ઈચ્છે છે. (આ ઠરાવ નામદાર ગવર્નર સાહેબ તરફ મેકલી આપ.)
કરાવ ૪ થે.
( પ્રમુખ તરફથી.) આપણુ ગઈ છઠ્ઠી કેન્ફરન્સ વખતે થયેલા ઠરાવ ધ્યાનમાં લઈ આપણી જૈન ગ્રેજયુએટસ એસોસીએશને આપણું નામદાર કપ્રિય ગવર્નર સાહેબ સર જીજે સીડનહૅમ કલાર્કને, વધારાની ધારા સભામાં આપણા તરફથી પણ પ્રતિનિધિઓની બેઠક મેળવવા જે અરજી કરી હતી તેને તે નામદારે જે સંતોષ કારક જવાબ આપણને આપે છે, તે માટે તે નામદારને તેમજ મુંબઈ સરકારને ખરા અંતઃકરણપૂર્વક સમસ્ત જૈનકેમ આભાર માને છે. અને તે ઠરાવ ને અમલ થવા પામે તેને માટે પૂર્ણ આશા રાખે છે. - સંબઈના આપણા લોકપ્રિય નામદાર ગવર્નર સાહેબ સર જોર્જ સિડનહંમ કલાકે આપણું જૈન ગ્રેજ્યુએટસ એસેસિએશનની અરજીને માન આપીને આ પણ પવિત્ર પર્યુષણના આઠ દિવસે તથા આપણું કાર્તકી અને ચૈત્રી પૂર્ણિમાના બે તહેવારોના દિવસોને જૈન કેમના જાહેર તહેવાર તરીકે જાહેર કર્યા છે, તે માટે તે નામદારને શ્રી સકલ ભારત વર્ષના જૈન (*વેતાંબર) પ્રતિનિધિઓની આ કોન્ફરન્સ અંતઃકરણપૂર્વક આભાર માને છે અને વિશેષમાં ઈચ્છે છે કે ઉપર જણાવેલા તહેવારોમાંથી કાર્તિકી અને ચિત્રો પૂર્ણિમાના તહેવારો, શ્રી મહા