Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૯૦૮ ] શ્રી જૈન શ્રેય મંડળ પરીક્ષક મી. મણિલાલ સુંદરજીવાસ [ ૭૭ ઘણું ઓછા કયા છે, દશ તિથિએ મેટાં પાપનાં આરંભ કાર્યો પિકી દળવું, ખાંડવું, કે છાણ લેવું, એમાંથી ઘણીક સ્ત્રીઓએ નિયમ લીધે છે. કેટલીએક સ્ત્રીઓ એ અભક્ષને ત્યાગ કર્યો છે. આ વિગેરે બીજા પણ નાના મોટા લાભ થવા પામ્યા.
બહારગામ ગએલા આગેવાને આવવાથી ત્રીજી સભા રાત્રીએ ભરવામાં આવી હતી. આ વખતે “ આપણું અગત્યના કર્તવ્યપર આપણે કેટલું અલક્ષ્ય કર્યું છે. ” એ વિષય પર ભાષણ આપ્યું હતું જેની અસરથી આઠેક ભાઈઓએ અશાડ સુદી ૧૪ સુધી હમેશાં અકેક કલાક જૈન ધર્મવિજયજી જેન લાયબ્રેરીનાં પુસ્તક વાંચવા સાંભળવા એક ભાઈને વાંચનાર તરીકે મુકરર કર્યો છે અને બીજા આઠ દશ ભાઈઓ અને દશેક બાઈઓએ મળી ૨૦ ના આશરે સાંભળનાર તરીકે થશે અને તેને માટે નિયમ આપે છે.
જેસર સંવત ૧૯૬૫ ના પિષ વદી. ૫-૬-ચેરા મુકામે સાર્વજનીક જાહેર સભા ભરવામાં આવી હતી. તે વખતે ” આપણી સદ્દબુદ્ધિને ઘણે આ ધાર આપણુ આહારને ગણી શકાય છે” એ વિષય ઉપર ભાષણ આપવામાં આવ્યું હતું. જેની અસરથી કેટલાકે દારૂ માંસ નહીં વાપરવા પ્રતિજ્ઞા કરી છે અને એક ક્ષત્રિીભાઈએ સપ્તવ્યસન ઉપરાંત અસત્યની પણ પ્રતિજ્ઞા લીધી છે. આ વખતે ક્ષત્રીઓને શિકાર કરવાને ધર્મ છે એવું કહેનાર સામે લાંબી ચર્ચા થઈ હતી. જેના પરિણામે શ્રોતાઓ પર સારી અસર થઈ હતી. આ મેળાવડામાં મુસલમાન કેમે પણ ભાગ લીધે હતે.
દેપલા સં. ૧૯૬૫ ના પિષ વદી. ૭-૮-ચેરા મધે એક જાહેર મિટીંગ ભરી. આ વખતે ઘણી કોમના ભાઈઓ હાજર હતા. તે વખતે “ક્ષત્રિીઓની ફરજ રક્ષણ કરવાની કે ભક્ષણ કરવાની ?” અને “હાલના ક્ષત્રિીઓ નિસ્તેજ અને પ્રતાપહીન કયા કયા કારણથી થયા” એ વિષય ઉપર ઘણું અસરકારક વિસ્તારવાળું અને વીરરસ યુક્ત ભાષણ આપવામાં આવ્યું હતું જેના પરિણામે સર્વ ક્ષત્રીઓએ દારૂ માંસ જીવિત પર્યત નહીં વાપરવા માટે દઢ પ્રતિજ્ઞા કરી છે. કેટલાકેએ અનાચાર નહી સેવવા સંબંધી અને કેટલાકે ક્ષાત્રધર્માનુસાર જીવન ગાળવા નિશ્ચય કર્યો છે. કેફી ચીજો જેમ બને તેમ કમી કરવાની લાગણી થઈ છે. ત્યાર બાદ “આહાર ઉપરથી બુદ્ધિ ઉપર થતી અસર” એ વિષય ઉપર લંબાણુ ભાષણ આપવામાં આવ્યું હતું. આ વખતે કંદમૂળાદિ આહાર નહિ સે. વવા સંબંધી બહુ સારી રીતે ચર્ચા થઈ હતી. ત્યાર પછી આપણા સમુદાયમાં મગજમાં કેવા સંસ્કારે મૂકવા જોઈએ; અને તેને માટે કઈ વય વધુ યોગ્ય થઈ પડે એ વિષય પર ભાષણ આપ્યું હતું. ધાર્મિક જ્ઞાનની જરૂરીયાત માટે