Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૪ ]
ધર્મનીતિની કેળવણી,
( એપ્રીલ
વાસ્તવિક રીતે કેમ થવું જોઈએ તે વિષે હુમા સહેજ વિચાર કરીએ.
મૂળ ઉદ્દેશ લક્ષમાં રાખ્યા વિના તેમજ કાંઈ પણ સ’કલના કે દીર્ધષ્ટિ વિના કાર્ય કરવામાં આવે તા તે જોઇએ તેવુ. ઉપયેગી થતુ' નથી. અને પ્રાયે નિરર્થક નિવડે છે; માટે કાર્યસિદ્ધિ અર્થ સર્વથી પહેલી જરૂર તેને સાધવાના સાધનો તથા પદ્ધતિના નિર્ણય કરવાની છે. વાંચનમાળા મૂળે કાંઈ સાધ્ય નથી, પણ જે અ‘તિમ સાધન છે તેને સાધવાનું માત્ર એક સા ધન છે એ વાત સદા લક્ષમાં રાખવાની છે. માટે પ્રથમ આ સવાલને નિ ય થવાની જરૂર છે કે ધર્મનીતિની કેળવણી આપવાના આપણા ઉદ્દેશ શે છે? અથવા, ખીજા શબ્દોમાં કહીએ તે, ધર્મનીતિની કેળવણી આપીને આપણે આપણા બાળકાને કેવા બનાવવા ચાહીએ છીએ ? આમ ઉદ્દેશ નક્કી થતાં તે પાર પાડવા માટે એટલે આપણા બાળકે આપણે કરેલ ઇચ્છા પ્રમાણે નિવડે તે માટે કેટલી ને શુ શુ ધર્મનીતિની કેળવણી આપવી આવશ્યક છે એ ખીજું નક્કી કરવાનુ` છે. ત્યાર પછી આપણે કરાવવા ધારેલ અભ્યાસની ખાળ કેાની બુદ્ધિ તથા વયાનુસાર ધારણવાર વડે ચણી કરી અભ્યાસક્રમ ગોઠવવા એ ત્રીજી કાર્ય છે. આ પ્રમાણે અભ્યાસક્રમ નક્કી કર્યા પછીજ તેને તેમજ મૂળ ઉદ્દેશને ખરાખર લક્ષમાં રાખીને વાંચનમાળા રચાવી જોઇએ. “ મારલ ઈન્સ્ટ્રકશન
લીગ, વગેરે એ પણુ, નીતિની વાંચનમાળા રચાવવામાં આવી પદ્ધતિ અખત્યાર કરી હતી અને એજ સ્વાભાવિક ક્રમ છે. વળી ધર્મનીતિના શિક્ષણથી કેટલાક ગેરલાભ થવાના સભવ અમૂક વિદ્યાના જણાવે છે, તે વાત પણ ખરાખર લ ક્ષમાં શખી તેવા પ્રકારની હાની નહિં નીપજે એવી સાવચેતીપૂર્વક વાંચનમાળા રચાવી જોઇએ.
આવા કારણેાને લઇને ધર્મનીતિની સર્વમાન્ય વાંચનમાળા રચાવવાની શરૂ આત કરાવવા અગાઉ જનસમૂહને અત્યંત ઉપયોગી આ વિષયની જુદા જુદા દષ્ટિબિંદુથી ચર્ચા થવાની તથા સાક્ષરવર્ગના અભિપ્રાય જાણવાની કેળવણી કમીટીએ અગત્ય જોઇ છે; અને એ હેતુએજ આ પ્રશ્નાવલિ તૈયાર કર રવામાં આવેલ છે તથા તેમાં પરસ્પર વિરોધી એવા જુદા જુદા અભિ પ્રાયાને એક સાથે સ્થાન આપવામાં આવેલ છે. જનસમાજનુ તેમજ પોતાના ખાળકોનુ હિત જેમને હૃદયે છે એવા દરેક સુજ્ઞ વિચારશીળ ખ'ની ફરજ છે કે આ કાર્યમાં તેમણે અમને યથાશક્તિ સહાય આપવી.