Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
શ્રી જૈન વિદ્યાપ્રસારક વર્ગના દ્વિતીય ત્રિવાર્ષિક રીપાઇ,
આ રીપાઠની પહોંચ સ્વીકારતાં અમે હર્ષયુક્ત થઈએ છીએ. પ્રથમ ત્રિવાર્ષિક રી પાર્ટી સાથે સરખાવતાં આ દ્વિતીય ત્રિવાર્ષિક રીપાર્ટ ઉપરથી સ્પષ્ટ રીતે જણાય છે કે આ ૠર્ગ તેના ઉત્સાહી સે*ઢરી મી. શિવજી દેવશીની ખતથી છેલ્લાં ત્રણ વર્ષમાં જૈન સમા અને વિશેષ ઉપયોગી થયા છે. તેના હેતુઓ પાર પાડવામાં વર્ગ તરફથી વિશેષ પ્રયાસ થએલા દેખાય છે. અને વધારામાં તેનુ બંધારણુ મજબુત કરવામાં આવેલું છે.
આ વર્ગના સેક્રેટરી ઠેકાણે ઠેકાણે કરે છે, જાહેર ભાષણા ારા ઉપદેશ દે છે, કેળવણી અને જ્ઞાનના ક્રાયદા સમજાવે છે, અને પોતાના વર્ગના હેતુએ દિનપ્રતિદિન વધારે ફળીભૂત ક્રમ થાય તે માટે સતત્ પ્રયાસ કરે છે. તેમના પ્રયાસથી કચ્છ જેવા કેળવણીમાં પછાત પ્રદેશમાં આપણી કામમાં ધણી જૈત શાળાઓ અને કન્યાશાળાઓ સ્થપાઇ છે, અને તેમના છટાદાર ભાષણાથી કચ્છના ધણા ગામામાં હાનિકારક રીવાને કેટલેક અñ દૂર થયા છે. અને આપણા જૈનબન્ધુએ આપણી ઉન્નતિના સાધના સાધવા માંડયા છે. આ વર્ગ તરફેથી જે શાળા રથપાય છે, તેને માટે કાયમ ફ્રેંડ કરવા તેજવીજ કરવામાં આવે છે, તે પણ પ્રશંસ નીય છે. આવી પાઠશાળા માટે આ વર્ગ તરફથી ખાસ પરીક્ષકો માકલવામાં આવે છે. શ્રી જૈન શ્રેયસ્કર મંડળના કેળવણી ખાતા તરફ્થી કરતા પરીક્ષકાની પેઠે છે આ પરીક્ષા પશુ પેાતાના પ્રવાસ દરમિયાન કેમ્ફરન્સના હેતુ ઉપર ભાષણા આપી તેના ઠરાવા અમલમાં મુકવાના પ્રયાસ કરશે તેા આ વર્ગ સ્વામ પ્રત્યેની ઉત્તમ સેવામાં ઉમેરે થએલા રહેવારો.
આ ઉપરાંત આ વર્ગ આપણી કામમાં સાહિત્યના પ્રચાર કરવામાં ધણા શ્રમ લે છે. આધુનિક જૈન સમાજને ઉપયોગી તેમજ સરળ અને સહેલી ભાષામાં પુસ્તકો લખાવી આ ધર્મ જૈન કામમાં જ્ઞાન લાવવાનુ જે કાર્ય કરે છે તે એટલું બધું પ્રશંસનીય છે કે આ વર્ગ પ્રસિદ્ધ કરેલા શ્રાવિકા ભૂણુ, શ્રાવક 'સારે, ધર્મ સંગ્રહ જેવાં પુસ્તકો આપણી આધુનિક પછાત દાનુ જૈન બંધુઓને ભાન કરાવવામાં સખળ સાધનભૂત થયા છે. નવા પ્રથા પ્રસદ્દ કરવાની સાથે પ્રાચીન ગથાને પ્રસિદ્ધિમાં લાવવામાં પણ આ વર્ગ ધણા પશ્રિમ ઉઠાવે છે.
આ સિવાય વાંચનમાળા તૈયાર કરવાનુ, શેઠે વસનજી ત્રિકમજી તથા શેઠ ખેતશી ખી અશી જૈન ખાડ ંગ સ્કૂલની વ્યવસ્થા તેમજ દેખરેખ રાખવાનું, આમદ માસિક કાઢવાનું, આનંદ પ્રિન્ટીંગ પ્રેસ ચલાવવાનું, નિશશ્રિતાને સહાય આપવાનું અને છેવટે જીવ દયાના પ્ર ચાર કરવાનું વિગેરે વિગેરે અનેક શુભ કાર્યોથી સુશૅાભિત આ વર્ગની વિશેષ ચડતી તેમજ ખીલવણી જોવા અમે ઇચ્છીએ છીએ.