Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૯૦]
જેને કેન્ફરન્સ હેરડ.
[ એપ્રીલ
નામદાર ગાયકવાડ સરકારે સ્થાનકવાસી કેન્ફરન્સને
મોકલાવેલ સલાહકારક સંદેશો,
વહાલા શેઠ ચાંદમલજી.
માર્ચ માસની અધવચમાં તમારા શહેરમાં મળનારી ત્રીજી જવેતાંબર સ્થાનકવાસી કોન્ફરન્સમાં હાજરી આપવા માટે આમંત્રણ કરવા માટે તમારા પુત્રના વડપણ હેઠળ તમારા સંઘ તરફથી આવેલા ડેપ્યુટેશનને આવકાર આ. પતાં મને ઘણે આનંદ થયો હતે. અગત્યના કામનું દબાણ ન હોત તે તમારી સાથે વિચાર કરવા માટે જોડાવાની તથા જે સુધારાની હીલચાલ ત. મારી કે ફરન્સ ચલાવે છે તેમાં હું અંગત હિત ધરાવું છું, એવું એકવાર ફરીથી સાબીત કરી આપવાની આ તકને મેં ખુશીથી લાભ લીધો હોત. સને ૧૯૦૪માં વડેદરા ખાતે મળેલી ત્રીજી તાંબર કેન્ફરન્સને હું આનંદ સહીત યાદ કરું છું, અને વળતે વરસ મારા રાજયમાં પાટણ ખાતે તેની થયેલી બેઠકમાં ચાલેલું કામકાજ મેં આનંદ સાથે સાંભળ્યું હતું. .
- કેન્ફરન્સને હેતુ. તમારા જેવી કોન્ફરન્સ જે સંપૂર્ણ રીતે અમુક પંથની તથા પાછળ હઠાડનારી ન થાય તે તેથી ઘણે લાભ થઈ શકે. આવી બધી કેન્ફરન્સની નેમ, જે પંથ અથવા કેમને લગતી તે કોન્ફરન્સ હોય તે પંથ અથવા કેમોમાં ખાસ કરીને ચાલતા સંસારિક કુરીવાજો નાબુદ કરવાની અને સમગ્ર પ્રજાને એકત્ર કરવા માટે તે કેમને તયાર કરવાની હેવી જોઈએ. મનમાં આ ખ્યાલ રાખીને હું એવું પણ ઈચછી શકું કે હીંદમાં આવા પ્રકારની વધારે કેન્સર થવી જોઈએ. આવી કેન્ફરન્સને અર્થ એ કે જે કેન્સર અજ્ઞાન, તથા સાહસ વગરના લેકેને તેઓની અધમ સ્થિતિમાંથી ઉંચી સ્થિતિએ લાવવાને વખત તથા શક્તિને ઉપયોગ કરે છે.
સાંસારિક સુધારાની જરૂર તમારી પહેલી બે કેન્ફરન્સનું કામકાજ મેં વાંચ્યું છે અને મને જેઈને આનંદ થાય છે કે ટુંકા પણ તે છતાં બહોળા વિસ્તારવાળા કાર્યક્રમમાં તમે ઘણી વાજબી રીતે સાંસારિક સુધારા તથા કેળવણીને અગત્ય આપી છે. હાલના કેટલાક રીવાજો, જેવા કે બાળવિવાહ, કન્યાવિક્રય, અનેક સી ક