Book Title: Jain Shwetambar Conference Herald 1909 Book 05
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
૧૦૦ ] શુદ્ધ સ્વદેશી ખાંડ સાકર સંબધે મને મળેલ અનુભવ ૬૭ ] શુદ્ધ સ્વદેશી ખાંડ શાકર સંબંધે મને મળેલો અનુભવ.
લખનાર–ઝવેરી–મોરબી,
પરદેશી આયાત થતી ખાંડ સાફ કર માટે અભક્ષ્ય પદાર્થો વપરાય છે એવું કેટલાંક પુસ્તકો અને પેપર મારફતે જાણવામાં આવતાં, આપણી તરફ તે ખાંડને વપરાશ ઓછો થતો ગયો છે, તે એટલે સુધી કે ઘણાં શેહેરેનાં હિંદુ મહાજનેએ સર્વાનુમતે પરદેશી ભ્રષ્ટ ખાંડ વાપરવી જ બંધ કરી છે. આને પરિણામે ઉત્તર હિંદમાંથી સ્વદેશી ખાંડ આવવી શરૂ થઈ, પરંતુ આપણાં લેકે સેંઘી કીંમત માટે ટેવાયેલા હોવાથી અને શુદ્ધ સ્વદેશી ખરી ખાંડ મેંઘી પડી જતી હોવાથી દગે થવા માંડયો અને કેટલાક વેપારીઓ મોરીસ અને જાવાની પીલીખાંડને પીસાવી ઉપર ગોળનાં પાણી છાંટી સ્વદેશી જે દેખાવ કરી વેચવાને લોકોને ઠગવા માંડયા. દેઢાદામ દેવા છતાં જે ખાત્રી લાયક માલ ન મળે તે ઉત્સાહ શિથિલ થાય એ અસંભવિત નથી. લેકે કચવાયા ભૂષ્ટતા માટે શંકાશીલ થયા અને નિશ્ચય ડગુમગુ કરવા લાગ્યા. આ વખતે સમય સુચક્તા વાપરી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી સકર કેસર કમીટી નીમાવવામાં આવી જેણે તપાસ શરૂ કરી.
નાગપુર ખાતે ભરાયેલા છેલા મોટા પ્રદર્શનમાં મારે જવાનું થતાં ત્યાં દાડી પ્રોસેસથી ખાંડ બનાવવાને ચાલતે પ્રયોગ મેં જોયું અને શંકાશીલ લેકેનાં મનનું સમાધાન કરવાની જીજ્ઞાસાથી તેને બારીક અનુભવ લીધે, તે અનુભવને દઢ કરવાની મારી જીજ્ઞાસાને જૈન કોન્ફરન્સ ઓફીસ તરફથી અનુમદન મળ્યું અને કેટલાંક ખાંડનાં કારખાનાંઓ નજરોનજર જોઇ બારીક ત. પાસ કરી, રીપોર્ટ કરવા મને ફરમાસ થઈ. પ્રથમ મેં હિંદુસ્તાનનાં કેટલાક ખાંડનાં કારખાનાઓ સાથે ખાનગી પત્ર વહેવાર કરી ભાવ વીગેરેની હકીકત મેળવી પરંતુ તે સાફ કરવાની રીત બાબત કેઇએ જવાબ ન આપવાથી કારખાનાંઓ નજરે જેવા જીજ્ઞાસા વધી. અવકાશને અભાવે હાલ તે મેં મુઢવા તથા કેલાપુરનાં કારખાનાં તપાસ્યા છે અને બીજા જેવા ઈચ્છા છે. મારી તપાસને પરિણામે નીચેના ત્રણ મુદાઓ પર મારો અનુભવ જાહેર કરૂં છું.
(૧). પરદેશી ખાંડ ભ્રષ્ટ છે કે નહિ? (૨), મુંબાઈ ઈલાકામાં હાલ બનતી અને વેચાતી ખાંડ શુદ્ધ
(૩) શુદ્ધ સાકર ખાંડ મેળવવા કેવી
જના કરવી જોઈએ ?