________________
બાબુ બંકિમચંદ્રનું સંક્ષિપ્ત વૃતાંત
બેઠા બેઠા તેઓ બજાવતા. ગામ લેકેના અંદર અંદરના કજીયા પણ તેઓ એજ સ્થળે બેસીને ચૂકવતા હતા. તેમના જમણા હાથ તરફ એક પાટ અને તેના ઉપર એક ગાલીચો બીછાવેલો રહેતો. જે કઈ સાધુ બ્રાહ્મણ આવતા તે તેનાપર બેસતા હતા. ડાબી બાજુએ એક બીજી પાટ બિછાવેલી રહેતી. તેના ઉપર અન્ય સારા માણસેને બેસાડવાનું રાખ્યું હતું. યાદવચંદ્રના પિતાના બિછાના ઉપર ઘરનાં રમતિયાળ નાનાં બાળકે સિવાય બીજું કઈ બેસતું નહિ. તેમના દીકરાઓ જ્યારે તેમની પાસે આવતા ત્યારે તેઓ ઘણે ભાગે ઉભા જ રહેતા અને પિતાની આજ્ઞા થાય તે પણ કંઈક સંકેચની સાથે જૂદા આસન ઉપરજ બેસતા હતા. બંકિમ બાબુને કદિ પણ કેઇએ તેમના પિતાની સામે ખુરશી ઉપર અથવા તે તેમની સાથે એક આસન પર બેઠેલા જોયા નથી.
એક વખત યાદવચંદ્રની તબીયત બહુ ખરાબ થઈ ગઈ હતી. તેઓ પલંગપર સુતા હતા. બંકિમે પિતાના પિતાની નાડી જેવાને વિચાર કર્યો. યાદવચંદ્રની એક બાજુ ભીંત હતી. ભીંતને અડીને તેમને પલંગ પાથર્યો હતો. પલંગ ઉપર પગ મૂક્યા વિના યાદવચંદ્રના શરીરને અડકવું અસંભવિત હતુ. બંકિમબાબુ વિચારમાં પડયા. પલંગ પર પગ મુકાય તેમ ન હતું અને તકલીફ થાય એટલા માટે પિતાને પણ કહી શકતા ન હતા. અને એક બાજુનું બિછાનું વાળી લઈને પગ પલંગ ઉપર રાખીને તેમણે પિતાની નાડી જોઈ. પિતાના પલંગને, અને પિતાની વપરાશની ચીજોને તે પવિત્ર સમજતા હતા. પિતાના ઓરડામાં કોઈ દિવસ જોડા પહેરીને જતા ન હતા. પિતાના ઉપયોગની ચીજોને પોતે કદી વાપસ્તા નહિ. - બંકિમ માતા-પિતાના કેવા અનન્ય ભક્ત હતા તે બતાવવા માટે અને બીજી બે એક ઘટનાઓનો ઉલ્લેખ કરીએ છીએ. એક દિવસ બકિમ પિતાજીને મળવા આવ્યા. આવીને એરડામાં ઉભા રહ્યા. યાદવચંદ્ર આ વખતે માથું નમાવીને બંગદર્શનનો હિસાબ લખતા હેવાથી બંકિમચંદ્રના આવ્યાની તેમને ખબર ન પડી. મરતાં પહેલાં કેટલાંક વર્ષોથી તેઓ ઓછું સાંભળતા હતા. પગને અવાજ સાંભળી તે દૂર રહ્યો પણુ પાસે ઉભા રહીને ધીરેથી બોલાવે તો તે પણ સાંભળી શક્તા ન હતા. પિતૃભક્ત પુત્ર પિતાના કામમાં અડચણ કરતે નહિ. શિક્ષિત બંકિમ પિતાને જોરથી બોલાવવાની અસભ્યતા પણ નહોતા કરી શકતા. પિતાને મળવા આવીને એમને એમ પાછા જવું તે પણ બંકિમને ઠીક ન લાગ્યું; કેમકે એથી તે પિતા તરફ કંઈક અવજ્ઞાને ભાવ દેખાય, કંઈક અધૈર્ય અને વિરક્તિનો ભાવ પ્રગટ થાય. બંકિમચંદ્ર એમને એમ ચૂપચાપ ઉભા રહ્યા. બહુ વાર થઈ ગઈ. એટલામાં યાદવચંદ્રની એક વૃદ્ધ દાસી ત્યાં આવી. બંકિમને આમ વિચારમાં ગરક થયેલ જોઈને તે હસી પડી. તેણે જોરથી બૂમ પાડીને યાદવચંદ્રને બંકિમ આવ્યાની ખબર આપી ત્યારે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com