________________
--
-
-
--
----
-----
-
--
--
-
-
---
-
અધ્યાય ૧૫ -ભગવદગીતાનું જ્ઞાન ૧૦૩ જ્ઞાન અને કર્મ ઉભયને સંયોગ જોઈએ. એકલું જ્ઞાન જેમ ઉપયોગી નથી તેમ એકલું કર્મ પણ ઉપયોગી નથી. * કર્મકારાજ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એટલાજ માટે સ્વયં ભગવાન કહે છે કે:--
आरुरुक्षोर्मुनेोगं कर्म कारणमुच्यते । ' અર્થાત: -જ્ઞાનયોગમાં આરૂઢ થવા ઈચ્છનારને માટે કર્મજ ઉપયોગી–કારણભૂત છે. મતલબ કે કર્માનુષ્ઠાનદ્વારા જ્ઞાનપ્રાપ્તિ કરવી જોઈએ. આ સ્થળે ભગવદ્દવાક્યને અર્થ એવો કરવાને છે કે કર્મવેગ સિવાય ચિત્તશુદ્ધિ થઈ શકે નહિ; અને ચિત્તશુદ્ધિ ન થઈ હોય ત્યાં સુધી જ્ઞાનયોગપ્રતિ ગતિ થઈ શકે નહિ. '
શિષ્ય:-- શું કમઠારા જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી કર્મને ત્યાગ કરી દેવું જોઈએ? | ગુસ –-નહિ, બન્નેને સંયોગ તથા બન્નેની યથાયોગ્યતા સચવાવી જોઈએ. ગીતામાં કહ્યું છે કે
योगसंन्यस्तकर्माणं ज्ञानसंछिन्नसंशयम् ।
आत्मवंतं न कर्माणि निबध्नन्ति धनंजय ॥ અર્થાત –હે ધનંજય ! જેણે યોગ વડે કર્મોને સંન્યાસ (ત્યાગ) કર્યો છે તેને, અને જ્ઞાનવડે જેના સંશયો છેદાઈ ગયા છે તેને તથા આત્મામાં નિષ્ઠાવાળા પુરુષને ક બાંધી શકતાં નથી.
એટલાજ માટે મુખ્યતઃ બે વસ્તુઓ જરૂરની છે. (૧) કર્મને સંન્યાસ અથવા ઇશ્વરાર્પણ, અને (૨) જ્ઞાનધારા સંશયછેદન. આ પ્રમાણે જ્ઞાનવાદ અને કર્મવાદના વિવાદને નિવેડો આણી શકાય તેમ છે; તેમજ ધર્મની વ્યાખ્યા પણ તેથી સંપૂર્ણ થાય છે. ગીતાકારે સઘળા વિવાદના નિર્ણયપૂર્વક જે અપૂર્વ–નૂતન ધર્મ પ્રબોધે છે તેનું યથાર્થ માહા” આવાજ સ્થળે સ્પષ્ટ થાય છે. તમારા કર્મો ઇશ્વરને અર્પણ કરે, અને કર્મ દ્વારા જ્ઞાનપ્રાપ્તિ કરી પરમાર્થ–તત્ત્વસંબંધી તમારા સંશયોને છેદી નાખો, એ પ્રમાણેના ઉપદેશમાં જ્ઞાન અને ભકિત ઉભયનો સંગ થઈ જાય છે, એમ કહેવાની છૂર નથી.
* આ સિદ્ધાંત જ્ઞાનવાદી શ્રીશંકરાચાર્યના મતથી વિરુદ્ધ છે એમ કહેવાની જરૂર નથી. તેમના મતાનુસાર જ્ઞાનમાં કર્મને તિલમાત્ર સ્થાન નથી. ઉદાર વિચારવાળા સુશિક્ષિત વર્ગો સિવાય, શ્રીશંકરાચાર્યના મતથી વિદ્ધ જણાતું અમારું આ કથન વર્તમાનકાળે કેાઈ સાંભળશે નહિ, એ અમારા લક્ષ બહાર નથી. શ્રીધર સ્વામી જેવા ભકિતવાદીઓ શ્રીશંકરાચાર્યના અનુવતી નથી, એટલું જ નહિ પણ પોતાના પૂર્વગામી આચાર્યોના મતનું ખંડન કરવા કિંવા પિતાના પક્ષનું સમર્થન કરવા શ્રીશંકરાચાર્યને પોતાના ભાષ્યમાં અનેક સ્થળે વિસ્તાર કરે પડયો છે, એ વાત પણ પ્રસંગોપાત અમારે કહી દેવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com