________________
૧૩ર
ધર્મતત્વ
-
ગુર–ભગવાન પોતે ગીતાના બારમા અધ્યાયમાં આ પ્રમાણે કહે છે –
ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्पराः। अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥ तेषामहं समुद्धर्ता मृत्युसंसार सागरात् । भवामि न चिरात् पार्थ मय्यावेशितचतसाम् ॥ मय्येव मन आधत्स्व मयि बुद्धि निवेशय ।
નિવનિર્ચાવિ દેવ ત ક ર સંવાદ (૬-૭-૮) અર્થાત–હે અર્જુન ! સર્વ કર્મો માવિષે અર્પણ કરીને, મત્પરાયણ રહીને, અને મારા સિવાય અન્ય આલંબન નથી એમ માનીને જેઓ ભક્તિયોગ સેવે છે, અર્થાત મારું ધ્યાન અને ઉપાસના કરે છે, તેવા મુમુક્ષઓને મારેવિષે જેઓનું ચિત્ત છે એવા ભક્તને-આ મૃત્યુયુત સંસારમાંથી હું સત્વર ઉદ્ધાર કરું છું. મારેજવિષે તું તારા મનની સ્થિરતા કર, અને બુદ્ધિને પણ મારેજ વિષે તું સ્થાપન કર. એમ કહેવાથી દેહ છૂટયા પછી પણ તું મારા વિષેજ વસીશ.”
શિષ્ય –બહુ કઠિન વાત જણાય છે. એવી રીતે કેટલા માણસો ઈશ્વરને વિષે પિતાનું ચિત્ત સ્થિર કરી શકે ?
ગુર–ધારે તે સર્વ કઈ કરી શકે. પ્રયત્ન કરે જોઈએ. શિષ્યઃ–પણ એ પ્રયત્ન કરો કેવી રીતે? ગુર–શ્રીકૃષ્ણ પરમાત્માએ પોતે જ તે વાતને ખુલાસો કર્યો છે. સાંભળ –
अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् ।
अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनंजय ॥ અર્થાત-“હે અર્જુન ! મારે વિષે ચિત્તને રિથર કરવા જેટલું તારામાં સામર્થ્ય ન હોય તો યોગાભ્યાસવડે મને પામવાની ઇચ્છા કર.” મતલબ કે ઈશ્વરને વિષે ચિત્તની સ્થિરતા ન થાય તે પુનઃ પુનઃ પ્રયત્નો દ્વારા તે અભ્યાસ કરે જોઈએ.
શિષ્ય –અભ્યાસમાત્ર કઠિન છે, અને તેમાં પણ આવે અભ્યાસ તે બહુજ કઠિન લાગે છે. મારા ધારા પ્રમાણે આવો અભ્યાસ સર્વ કેઈથી થઈ શકે નહિ. જેમનાથી આવા અભ્યાસ ન થઈ શકે તેમણે શું કરવું ?
ગુલ–કર્મ કરવાને શકિતમાન છે તેમણે ઈવદિષ્ટ કર્મ અથવા ઇવરાનુદિત કર્મો કરવાનો અભ્યાસ કરો. આ પ્રમાણે સર્વદા કર્મો કરતા રહેવાથી ક્રમે ક્રમે ઈશ્વરમાં મનની સ્થિરતા થશે. એટલા માટે ભગવાન પોતે કહી ગયા
अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव । અર્થ નિર્વવિદ્ધિમવાલિ (૧૨ અ. ૧૦ ક. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com